પાલનપુરના ભાગળ જગાણા ગામના અમૃતજી લક્ષ્મણજી ઠાકોરનો ઈકોનો અકસ્માત સર્જાતા યુવકને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો જ્યાં યુવકનું મોત નિપજતાં પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હંગામો મચાવ્યો હતો.
પાલનપુર-અમદાવાદ હાઇવે અકસ્માતમાં યુવકને પગે ઈજા પહોંચતા યુવકને પાલનપુરની તશ્યા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો જયાં મોત નિપજતાં પરિવારજનોએ હોસ્પિટલમાં હંગામો મચાવી તોડફોડ કરી હતી. પોલીસ હોસ્પિટલમાં દોડી આવી હતી.
આ બાબતે યુવકના ભાઈ બળવંત ઠાકોરે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ભાઈનો અકસ્માત સર્જાતાં હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં તબીબાી બેદરકારીને લઈ તેનું મોત થયું છે તેમ છતાં ડોક્ટર હાજર જોવા મળતા નથી. બીજી બાજુ તેના બચાવ પક્ષમાં પાલનપુરના ખાનગી હોસ્પિટલના ડોક્ટરો દોડી આવ્યા હતા.
From – Banaskantha Update