બનાસકાંઠામાં તલાટીઓ આજથી હડતાલ પર : દાંતીવાડા TDOની કનડગતને લઇ હડતાલ

- Advertisement -
Share

બનાસકાંઠાના દાંતીવાડા ખાતે ટી.ડી.ઓની મનમાની સામે તલાટીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ટીડીઓ દ્વારા તલાટી પાસે આર્થિક માંગણી કરી રહ્યા હોવાનું તલાટીઓએ આક્ષેપ કર્યા હતા તેમજ તલાટીઓ જિલ્લાના તમામ અધિકારીઓના WhatsApp ગ્રુપમાંથી રીમુવ થવાની ચીમકી પણ ઉચ્ચારી હતી તેમજ જ્યાં સુધી તલાટીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી તલાટી મંડળ કામથી અળગા રહેશે તેમ જ હડતાળ પર જશે તેવું તલાટીઓ ચીમકી ઉચ્ચારી હતી અને આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તલાટી મંડળ દ્વારા આજે હડતાલ પર ઉતર્યા છે.
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે ફરજ બજાવતા ટીડીઓ દ્વારા મનમાની કરી રહ્યા હોવાનું તેવું તલાટીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ટીડીઓ તલાટીઓ પાસે આર્થિક માંગણી કરી રહ્યા હોવાનું પણ તલાટીઓ દ્વારા આક્ષેપ કર્યા હતા.
દાંતીવાડા તાલુકાના તલાટીઓની 33 ટકા વેરા વસૂલાત હોવા છતાં ઇજાફો અટકાવતા તમામ તલાટી ટીડીઓ સામે રોષ ઠાલવ્યો હતો તેમજ તમામ તલાટીઓ જિલ્લાના તમામ અધિકારીઓના whatsapp ગ્રુપમાંથી રીમુવ થવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
જ્યાં સુધી તલાટી મંડળને ન્યાય નહીં મળે ત્યાં સુધી કામથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી હતી માગણી ન સંતોષાય તો 27 જૂનથી જિલ્લાના તલાટીઓ હડતાળ પર જશે તેવી ચીમકી ઉચ્ચારી હતી તેમજ તલાટીઓને ખોટી હેરાનગતિ કરનાર ટીડીઓ સામે ભારેમાં ભારે પગલાં લેવાની તલાટીઓ દ્વારા માંગ કરી હતી અને આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તલાટીઓ હડતાલ પર ઉતર્યા છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!