પાલનપુર: 125 ગામના 25 હઝારથી વધુ ખેડૂતોની તળાવ મુદ્દે મહારેલી નીકળી, કલેકટરને ઉગ્ર રજૂઆત કરાશે

- Advertisement -
Share

પાલનપુર તાલુકાના વડગામના કરમાવદ તળાવ ભરવાને લઇ ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે અને ખેડૂતો તળાવ કરવાની માંગ સાથે આજે આદર્શ સ્કુલ ખાતે સભા યોજી હતી. જેમાં 125 ગામોના 25 હજાર કરતાં વધુ ખેડૂતો ભેગા થઈ ઢોલ-નગારા સાથે મહારેલીની શરૂઆત કરી છે આ રેલીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે આ રેલી નીકળી છે અને થોડી જ વારમાં કલેકટર કચેરી ખાતે પહોંચી તળાવ ભરવાની માંગને લઇ ઉગ્ર રજૂઆત કરાશે.
બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાના સમયમાં જોઈએ તેવો વરસાદ થયો નથી તેમ જ દિવસે દિવસે જમીનના તળ ઉંડા જઈ રહ્યા છે અને બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા ત્રણે જળાશયો પણ હાલ ખાલી જોવા મળી રહ્યા છે અને પીવા તેમજ સિંચાઇ માટે પાણીની ભારે તીવ્ર અછત સર્જાઈ રહી છે.
જેને લઇ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પાણીની માંગ સાથે અલગ અલગ જ આંદોલન કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના વડગામ આવેલ કરમાવદ તળાવ ભરવાની માંગ સાથે 125 ગામોના ખેડૂતો આજે પાલનપુર ખાતે આદર્શ સ્કૂલમાં સભા યોજી હતી જે બાદ 25 હજાર કરતા વધુ ખેડૂતો ઢોલ-નગારા સાથે મોટી સંખ્યામાં પોલીસના ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મહારેલી નીકાળવામાં આવી છે.
2 કિ.મીની ખેડૂતો તળાવ કરવાની માંગ સાથે સરકાર સામે વિરોધ નોંધાવી થોડી જ વારમાં પાલનપુર કલેકટર કચેરી ખાતે પહોંચશે અને જિલ્લા કલેકટરને વડગામના કરમાવદ તળાવ ભરવાની 125 ગામોના ખેડૂતો ઉગ્ર રજૂઆત કરશે ક્યારે નાના રજૂઆતને સરકાર કેટલું ધ્યાને લે છે એ તો હવે આવનારો સમય બતાવશે…

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!