કાંકરેજના અરડુંવાડા પાસે રોડ ઉપર આખલો આવી જતા આસમ આર્મીમાં પેરાકમાન્ડોમાં ફરજ બજાવતાં જવાન અમરતભાઈ માળી બુલેટ લઈ પોતાના વતન આવતા તેનું અકસ્માતમાં નીપજ્યું મોત.
આજે માં ભોમની રક્ષા કરનાર આર્મીના જવાનનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યુ છે. આસમ આર્મીમાં પેરાકમાન્ડોમાં ફરજ બજાવતાં દિયોદરના વડિયા ગામના જવાન અમરતભાઈ માળી આર્મી જવાન અસામથી ગાંધીનગર આવી ત્યાંથી બુલેટ લઈને આવતા હતા પોતાના વતન આવી રહ્યા હતા.
કાંકરેજના અરડુંવાડા પાસે રોડ ઉપર અચાનક આખલો વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં આસમ આર્મીમાં પેરાકમાન્ડોમાં ફરજ બજાવતાં દિયોદરના વડિયા ગામના જવાન અમરતભાઈ માળીનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યુ હતું.
અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં આર્મી જવાનનું મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી. અકસ્માતના પગલે શિહોરી પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતક જવાનના મૃતદેહને પી.એમ અર્થે ખસેડયો.
From – Banaskantha Update