અંબાજીની આરતી સૂર્ય ઘાટ નજીકથી લટકતી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર

- Advertisement -
Share

દાંતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી

 

અંબાજીના દાંતા વિસ્તારમાં બુધવારે ત્રિશુળીયા ઘાટ નજીક એક યુવક ગળેફાંસો ખાઇ લટકતી હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઇ હતી.
જ્યારે તાત્કાલીક દાંતા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં આત્મહત્યા અને હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક બનાસકાંઠા જીલ્લાના અંબાજી નજીક આવેલ ત્રિશુળીયા ઘાટ નજીક બુધવારે એક યુવકની

લટકતી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. ત્રિશુળીયા ઘાટ પરથી પસાર થઇ રહેલા રાહદારીઓએ લટકતી હાલતમાં લાશ જોતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા
અને તાત્કાલીક દાંતા પોલીસને જાણ કરતાં દાંતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લટકેલી હાલતમાં મળી આવેલ લાશને પી.એમ. અર્થે ખસેડી મૃતકની ઓળખ વિધીની તપાસ હાથ ધરી છે. જ્યારે યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી છે તેની તપાસ પણ હાથ ધરી છે.

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!