ડીસાના રામજી મંદિરથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન રામલલ્લાની ધૂમ ધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડીસાના રામજી મંદિર ખાતેથી ભગવાનની આરતી ઉતારીને શોભાયાત્રા પ્રસ્થાન કર્યું હતું.
જેમાં વેર હાઉસ કોર્પોરેશન પૂર્વ ચેરમેન મગનલાલ માળી સહિત હિન્દૂ સંગઠનો તેમજ રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાઇ હતી જેમાં રિસાલાથી નીકળેલ રથયાત્રા ડીસાના વિવિધ રાજમાર્ગો પર ફરીની નિજ મંદિરે પુરી થશે જેમાં ‘જય શ્રી રામ’ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
From – Banaskanthan Update