બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તારના ગામોમાં ભારત માલા પ્રોજેક્ટ લઇને ખેડૂતોમાં આક્રોશ ભભૂક્યો છે. વારંવાર યોગ્ય વળતર અને રસ્તાની માંગણી સાથે રજૂઆત કરી છે.
પરંતુ આજદિન સુધી કોઇ વળતર ન ચૂકવાતાં આખરે શુક્રવારે રોષે ભરાયેલા ખેડૂતો ઢોલના તાલે ભારત માલાની ઓફીસે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી.
બનાસકાંઠા જીલ્લામાં ભારત માલા પ્રોજેક્ટ લઇને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. બનાસકાંઠા જીલ્લાના સરહદી પંથક ગણાતા પીલુડા, માંગરોળ અને વલાડર જેવા અનેક ગામના ખેડૂતો દ્વારા અનેકવાર યોગ્ય વળતર અને રસ્તાની માંગણી સાથે રજૂઆત કરવામાં આવી છે.
પરંતુ આજદિન સુધી કોઇ યોગ્ય વળતર કે પછી રસ્તાની માંગણી ન પૂરી કરતાં આખરે શુક્રવારે રોષે ભરાયેલા ખેડૂતો ભારત માલા પ્રોજેક્ટને લઇને ખેડૂતો ભારે વિરોધ નોંધાવ્યો હતો. ઢોલના તાલે રોષે ભરાયેલા ખેડૂતો ભારત માલાની ઓફીસે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી.
From-Banaskantha update