ધાનેરાના વકતાપૂર ગામે એક રહેણાંક મકાનમાં ગાંજાના છોડ પડ્યા હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે 143 ગાંજાના છોડ સાથે એક શખ્સને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના વક્તાપુર ગામે રહેતા ઇન્દ્રજીત યાદવએ પોતાના રહેણાંક મકાનના કમ્પાઉન્ડમાં ગાંજાના છોડ રાખ્યા હોવાનું પોલીસને જાણવા મળતા પોલીસે આજ રોજ ધાનેરાના વક્તાપુર ખાતે રહેતા ઇન્દ્રજીત યાદવના મકાનમાં ઓચિંતી રેઇડ કરતા પોલીસે 143 ગાંજાના છોડ સહિત કુલ રૂ.79,340ના મુદામાલ કબ્જે કરી ઇન્દ્રજીત યાદવને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઇન્દ્રજીત યાદવની પૂછપરછ કરતા ઇન્દ્રજીત યાદવ મૂળ હરિયાણાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઇન્દ્રજીત યાદવ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update