સમગ્ર ગુજરાતમાં હાલ ખેડૂતો વીજ પુરવઠાને લઇને અલગ-અલગ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે લાખણીમાં પણ શુક્રવારે ખેડૂતોને 6 કલાકની જગ્યાએ 8 કલાક વીજ પુરવઠો પુરો પાડવાની માંગ સાથે ઢોલ નગારા સાથે ખેડૂતો લાખણી મામલતદાર કચેરીમાં પહોંચ્યા હતા.
સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને કોઇ મુશ્કેલી હોય તો તે છે. અપૂરતી વીજળી મળવાના કારણે સમગ્ર ગુજરાતમાં ખેડૂતો પરેશાન થઇ ઉઠયા છે અને ખેડૂતો દ્વારા સરકાર વિરોધી અલગ-અલગ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.
ત્યારે બનાસકાંઠા જીલ્લામાં પણ દરેક તાલુકા મથકે ખેડૂતો દ્વારા સરકાર વિરોધી કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. ત્યારે લાખણીમાં પણ શુક્રવારે ખેડૂતો ઢોલ-નગારા સાથે પૂરતી વીજળી મળી રહે તેને લઇને આંદોલન છેડવામાં આવ્યું છે.
લાખણી તાલુકાના ખેડૂતો મામલતદાર કચેરીમાં પહોંચ્યા હતા. 6 કલાકને બદલે 8 કલાક વીજળી આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો ઢોલ-નગારા સાથે લાખણી મામલતદાર કચેરીમાં પહોંચ્યા હતા અને મામલતદાર કચેરીમાં આવેદનપત્ર પાઠવી ખેડૂતો વીજ કચેરીનો ઘેરાવો કરશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું.
From-Banaskantha update