થરાદના જાદલા પુલ નજીક યુવકે કેનાલમાં જમ્પલાવી મોતને કર્યું વાહલુ

- Advertisement -
Share

થરાદની મુખ્ય કેનાલમાં આજે એક યુવકે થરાદના જાદલા પુલ નજીક કેનાલમાં જંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પોહચી શોધખોળ હાથ ધરાઈ.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ મુખ્ય કેનાલમાં મૃતદેહ મળવાનો શીલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વધુ એક યુવકે થરાદની મુખ્ય કેનાલમાં જંપલાવી મોતને વ્હાલું કર્યું. થરાદના જાદલા પુલ નજીકથી પસાર થતી મુખ્ય કેનાલમાં આજે ડેલ ગામનો પારસાભાઈ મેરુભાઈ ઠાકોર કેનાલમાં અગમ્ય કારોણસર જમ્પલાવી મોતને વ્હાલું કર્યાની ઘટના સ્થાનિક લોકોને નજરે પડતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

સમગ્ર ઘટનાની જાણ થરાદ ફાયર વિભાગને જાણ કરતા થરાદ ફાયર વિભાગની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી. તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકને શોધખોળ હાથ ધરાઈ હતી. ભારે જહેમત બાદ ડેલ ગામના પારસાભાઈ મેરુભાઈ ઠાકોરના મૃતદેહને બહાર નીકાળી થરાદ પોલીસને જાણ કરી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પી.એમ અર્થે ખસેડાઇ વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!