સૂઇગામના ખડોલ ગામમાં એક મહીલાએ મંગળવારે અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઇ છે. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
જ્યારે સ્થાનિક લોકોએ તાત્કાલીક વાવ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી તપાસ હાથ ધરી હતી. આ અંગે વાવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં આત્મહત્યા અને હત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે મંગળવારે વધુ એક બનાસકાંઠા જીલ્લામાં આત્મહત્યાની ઘટના સામે આવી છે.
સૂઇગામ તાલુકાના ખડોલ ગામમાં રહેતાં વર્ષાબેન હરજીભાઇ આસલ અગમ્ય કારણોસર એક ખેતરમાં બનાવેલ ઓરડીમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ જીવન લીલા સંકેલી લેતાં ચકચાર મચી ગઇ હતી.
આ ઘટનાના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. જ્યારે મહીલા ક્યા કારણોસર ગળેફાંસો જીવન ટૂંકાવ્યું તેને લઇ શંકા-કુશંકા સેવાઇ રહી છે.
આ ઘટનાની જાણ સ્થાનિક લોકોએ વાવ પોલીસને કરતાં વાવ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જ્યારે મૃતકની લાશને પી.એમ. અર્થે વાવ સામૂહીક કેન્દ્રમાં ખસેડી હતી. આ અંગે વાવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update