અમીરગઢની યુવતી યુક્રેનથી ઇન્ડીયન એમ્બેસી અને સરકારના અથાગ પ્રયાસથી વતનમાં પરત ફરતાં પરિવારજનોમાં ખુશીની લહેર

- Advertisement -
Share

 

અમીરગઢની જીનલ મનિષભાઇ અગ્રવાલ યુક્રેન એમ.બી.બી.એસ. માટે ગઇ હતી. પરંતુ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થતાં હાલત કફોડી બની ગઇ હતી.

 

 

જેથી જીનલના પરિવારજનોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને તેઓ સતત સરકારને રજૂઆત કરતાં અને પોતાની દીકરી સાથે સંપર્કમાં રહેતા હતા. પરંતુ જીનલ પોતાના ઘરે પરત ફરતાં પરિવારજનોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી.

 

 

આ અંગે જીનલ અગ્રવાલે યુક્રેનની પરિસ્થિતિ જણાવતાં કહ્યું હતું કે, ‘યુક્રેનની મેઇન સીટી કીવ ખૂબ ડેમેજ થઇ હતી. ઉપરાંત હજુ પણ યુદ્ધ થતું હોવાથી બોમ્બ બ્લાસ્ટ થતાં રહે છે.

 

 

ઇન્ડીયન એમ્બેસી અને ભારત સરકારનો આભાર માનતાં જીનલે જણાવ્યું હતું કે, તેમના અથાગ પ્રયાસથી બુધવારે તેઓ ઘરે પહોંચ્યા છે. યુક્રેનથી મુંબઇ અને ત્યાંથી ગુજરાત સરકારે તેમને ઘરે પહોંચાડયા હતા.

 

યુક્રેનમાં 15 કિલોમીટર સુધી ચાલતા જવાની પણ ફરજ પડી હતી. તે દરમિયાન ત્યાંના સેવાભાવી લોકોએ વિદેશી વિદ્યાર્થીઓ માટે ખાવા-પીવા માટે કેમ્પ લગાવી આવી પરિસ્થિતિમાં પણ સેવા આપતાં તેમને તકલીફ નહોતી પડવા દીધી એમ જીનલે જણાવ્યું હતું.’

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!