વડગામના છનિયાણાના જવાનનો પાર્થિવ દેહને માદરે વતન લવાતાં ગામ હીબકે ચઢ્યું

- Advertisement -
Share

 

વડગામ તાલુકાના છનિયાણા ગામનો જવાન બુધવારે પંજાબના પઠાણકોટમાં શહીદ થતાં યાત્રા સાથે પાર્થિવ દેહને શુક્રવારે માદરે વતન લવાતાં ગામ હીબકે ચઢ્યું હતું.

 

 

છનિયાણાના રમેશભાઇ ચેલાભાઇ રબારી માં ભોમની રક્ષા કાજે સેનામાં જોડાયા હતા. જવાને બેંગ્લોર ટ્રેનિંગ પૂર્ણ કરી પ્રથમ પોસ્ટીંગ પંજાબના પઠાણકોટમાં ફરજ પર જોડાયા હતા.

 

 

જો કે, જવાન થોડા દિવસ પહેલાં વતન છનિયાણા આવ્યો હતો અને 5 દિવસ અગાઉ જ જવાન પોતાની પોસ્ટીંગ ફરજ પંજાબના પઠાણકોટમાં પહોંચ્યો હતો.

 

 

અને બુધવારે જવાન શહીદ થયો હતો.જ્યારે જવાનના પાર્થિવ દેહને શુક્રવારે પોતાના માદરે વતન લવાતાં ગામ હીબકે ચઢ્યું હતું.

 

 

જ્યારે દેશ ભક્તિના ગીતો સાથે નીકળેલી શહીદ યાત્રાને લઇ સમગ્ર વિસ્તારમાં દેશ ભક્તિનો માહોલ છવાયો હતો.ગામની શાળાના વિદ્યાર્થીઓએ તિરંગા ધારણ કરી શહીદ જવાનને સલામી આપી હતી.

 

 

જ્યારે શહીદ જવાનના પાર્થિવ દેહને ગામમાં લવાતાં જનમેદની ઉમટી પડી હતી. જ્યારે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ ક્રિયા કરાઇ હતી.

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!