દિયોદરના સેસણમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાથી જીવદયાપ્રેમીઓમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે. ત્યારે દિયોદરના સેસણમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ કરવા માટે ગુરૂવારે જીવદયાપ્રેમીઓએ નાયબ કલેક્ટર અને ડી.વાય.એસ.પી.ને આવેદનપત્ર આપ્યું હતું.
જ્યારે તાત્કાલીક કતલખાના બંધ નહી થાય તો આગામી સમયમાં જીવદયાપ્રેમી સંગઠનના કાર્યકરો દ્વારા આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
બનાસકાંઠા જીલ્લામાં ખુલ્લેઆમ ચાલી રહેલ માંસ-મટનની હાટડીને બંધ કરવા જીવદયાપ્રેમીઓમાં ઉગ્ર માંગ ઉઠી છે. ત્યારે દિયોદર તાલુકાના સેસણ ગામમાં ચાલતાં બિનકાયદેસર કતલખાનાની હાટડીઓ બંધ કરાવવા માટે જીવદયાપ્રેમીઓ આગળ આવ્યા છે.
જ્યારે સેસણ ગામના કેટલાંક વિધર્મીઓ દ્વારા મોટા પ્રમાણમાં પીકઅપ ગાડીમાં પશુઓની હેરાફેરી થઇ રહી છે. જેથી જીવદયાપ્રેમીઓની લાગણી દુભાઇ રહી છે.
આમ ખુલ્લેઆમ ચાલતાં કતલખાનાને બંધ કરવા માટે ગુરૂવારે જીવદયાપ્રેમીઓએ દિયોદર નાયબ કલેક્ટર અને ડી.વાય.એસ.પી. ને આવેદનપત્ર આપી તાત્કાલીક એક્શન લેવા માંગ કરી છે.
જો તાત્કાલીક એક્શન નહીં લેવાય તો જીવદયાપ્રેમી સંગઠનના કાર્યકરો દ્વારા આગામી સમયમાં આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
From-Banaskantha update