ડીસામાં મહીલાઓ પર થતાં અત્યાચારોને અટકાવવા માટે મહીલા આયોગની બેઠક યોજાઇ

- Advertisement -
Share

 

સમગ્ર ભારત દેશમાં મહીલા પર થતાં અત્યાચારને અટકાવવા માટે મહીલા આયોગ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુરૂવારે મહીલા આયોગના સભ્ય ર્ડા. રાજુલબેન દેસાઇ દ્વારા મહીલા પર થતાં અત્યાચારને

 

 

અટકાવવા માટે ડીસાની શાળાઓ, કોલેજો અને સરકારી કર્મચારીમાં ફરજ બજાવતી મહીલા સાથે બેઠક યોજી મહીલાઓ પર થતાં અત્યાચારો અટકાવવા માટે મહીલાઓને જાગૃત કરાઇ હતી.

 

 

ડીસા સહીત સમગ્ર ભારતભરમાં મહીલાઓ પર દિન-પ્રતિદિન અત્યાચારના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા મહીલાઓ પર થતાં અત્યાચારો અટકાવવા માટે મહીલા આયોગ દ્વારા અલગ-અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

 

 

ત્યારે ગુરૂવારે મહીલા આયોગના સભ્ય ર્ડા. રાજુલબેન દેસાઇ દ્વારા બનાસકાંઠા જીલ્લાની મુલાકાતે આવ્યા હતા. રાજુલબેન દેસાઇ કોલેજોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ મહીલાઓ, આંગણવાડી મહીલાઓ અને આશા વર્કર બહેનો સાથે અલગ-અલગ જગ્યાએ બેઠક યોજી હતી.

 

 

મહીલાઓ પર થતાં દિવસેને દિવસે અત્યાચાર અટકાવવા માટે મહીલાઓને જાગૃત કરાઇ હતી. જ્યારે મહીલાઓ પર થતાં અત્યાચારને અટકાવવા માટે ખુદ મહીલાઓ આગળ આવી મહીલા આયોગ દ્વારા મહીલાઓને સુરક્ષિત માટે

 

 

કરવામાં આવેલી વેબસાઇટો પર અત્યાચારના ભોગ બનનાર મહીલાઓ આગળ આવી મહીલા આયોગને જાણ કરે જેથી મહીલા આયોગ દ્વારા તાત્કાલીક ધોરણે જે મહીલા અત્યાચારનો ભોગ બની હોય તેને મદદ કરી શકે તેવી રાજુલબેન દેસાઇ દ્વારા જાણ કરાઇ હતી.

 

 

જ્યારે મહીલાઓ પર થતાં અત્યાચારને અટકાવવા માટે મહીલાઓ એક થઇ આગળ આવવું અને મહીલાઓ પર થતાં અત્યાચાર અટકાવી શકે તેવી મહીલા આયોગના સભ્ય ર્ડા. રાજુલબેન દેસાઇ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ,

 

 

સરકારી કર્મચારીઓમાં ફરજ બજાવતી મહીલાઓ, તલાટીઓ અને આશા વર્કર બહેનો સાથે બેઠક કરી મહીલા પર થતાં અત્યાચાર અટકાવવા માટે જાગૃત કરાઇ હતી.

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!