પાલનપુર તાલુકાના ધાણધા ગામના બે યુવાનો એક સાથે એક જ દિવસે ભારતીય ફોજમાં જોડાયા હતા. જેઓમાં ભારતી રક્ષા કરી એક સાથે નિવૃત થયા હતા. જેઓ બુધવારે પાલનપુર આવતાં 15 કિલોમીટર સુધી ભવ્ય વરઘોડો કાઢી સામૈયુ કરવામાં આવ્યું હતુ.
ધાણધા ગામના દિલીપસિંહ બળવંતસિંહ ચાવડા અને યાસીનખાન ભીખનખાન સિંધીએ એક સાથે ફોજમાં ભરતી થયા હતા. દિલીપસિંહ ચાવડાએ જમ્મુ કાશ્મીર,પંજાબ, હરિયાણા, લેહ-લદાખ, સિકંદરાબાદ અને અમદાવાદ યુનિટમાં ફરજ બજાવી હતી.
જ્યારે યાસીનખાન સિંધીએ ભોપાલ, બારામુલ્લા, સિકંદરાબાદ,આસામ,ચંદીગઢ, ઝાંસીમાં ફરજ બજાવી હતી. જે દરમિયાન યાસીનખાનને સ્પેશ્યલ સર્વિસ મેડલ સુરક્ષા, સેન્ય સેવા મેડલ, નવ વર્ષ લોન્ગ સર્વિસ મેડલ, 15 વર્ષ લોંગ સર્વિસ મેડલ અને સૈન્ય સેવા મેડલ મળી કુલ સાત મેડલ એનાયત કરાયા હતા. દરમિયાન બંને જણાં સાથે જ 31/01/2022ના રોજ નિવૃત થયા હતા. બુધવારે પાલનપુર આવી પહોચતાં ગ્રામજનોએ ધાણધા સુધી 15 કિલોમીટરનું વરઘોડું નીકાળ્યું હતુ.
બાઇક, વાહનો સાથે મોટી સંખ્યામાં યુવકો ધ્વજ ત્રિરંગા સાથે જોડાયા હતા. દેશભક્તિના ગીતોથી માર્ગ ગુંજી ઉઠ્યો હતો. બંને જવાનોનું ગામમાં ભવ્ય સામૈયુ કરાયું હતુ. તેમણે જણાવ્યું હતુ કે, માં ભારતીની રક્ષામાં ધર્મના સિમાડા નડતા નથી.
From – Banaskantha Update