થરાદથી બુધવારે ગામડે જવાનું કહીને નીકળેલા યુવકનું બાઇક ગુરૂવારે સવારે નહેર પરથી મળતાં ચકચાર મચી ગઇ હતી. જો કે, 8 કલાક નહેરમાં શોધખોળ કરવા છતાં પણ કોઇ ભાળ નહી મળતાં પરિવારે પોલીસ મથકમાં પણ જાણ કરી હતી.
મૂળ થરાદના ભોરડું ગામના વતની અને ઘણા સમયથી થરાદમાં પરિવાર સાથે રહેતાં પ્રવિણભાઇ જટાશંકર શર્મા (ઉં.વ.આ. 45) 26 મી જાન્યુઆરીના દિવસે સવારે નવેક વાગ્યે ઘરેથી ભોરડું જવાનું કહીને બાઇક ઉપર નીકળ્યા હતા.
તેઓ ઘણા સમય સુધી ભોરડું ન જતાં અને ફોન પણ સ્વીચ ઓફ આવતો હોઇ પરિવાર અને સબંધીઓએ આખો દિવસ શોધખોળ કરવા છતાં પણ અત્તો પત્તો લાગ્યો ન હતો.
જ્યારે સાંજે 5 વાગ્યા આજુબાજુ પ્રવિણભાઇના નંબર ઉપર લાગેલો ફોન કોઇ અજાણ્યા લોકોએ ઉપાડતાં તેમણે વાવના બિયોક નજીક કેનાલ પરના એક ખેતરના ઘરના દરવાજા આગળ સવારના 11 વાગ્યાથી પડેલું બાઇક ચેક કરતાં મળેલો મોબાઇલ ચાલુ કર્યો હોવાનું જણાવ્યું હતું.
આથી પરિવાર દ્વારા તરવૈયા સુલતાન મીર અને તરવૈયાની મદદથી સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી એકથી દોઢ કિ.મી. સુધી કેનાલમાં શોધખોળ હાથ ધરાઇ હતી.
જો કે, એક રાહદારીએ યુવકને ડેલ અને અન્ય એક રાહદારીએ તેને થરાદના નાગલાની સીમમાં જોયો હોવાનું અને એક હોટલ માલિકે પૌઆ પણ ખાધા હોવાનું પણ જણાવ્યું હતું.
પરિવાર દ્વારા શોધખોળના અંતે થરાદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. મધ્યમ વર્ણના આંખે ચશ્મા ધરાવતા યુવક અંગે કોઇને આ અંગેની જાણ થાય તો 9879958555 નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી પણ કરાઇ હતી.
From-Banaskantha update