બનાસકાંઠાના નડાબેટ નજીક બી.એસ.એફ. જવાને પોતાની સર્વિસ રાઇફલથી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. જવાનના મૃતદેહને પી.એમ. અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયો છે.
બી.એસ.એફ. જવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ અંગેની જાણ થતાં બી.એસ.એફ.ના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. આ અંગેની જાણ ઉપરી અધિકારીઓને પણ કરી દેવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે, નડાબેટ નજીક બી.એસ.એફ. જવાન ફરજ બજાવતો હતો. નડાબેટથી 0 પોઇન્ટ તરફની ચેકપોસ્ટ પર જવાન સંતરી તરીકે ડયુટી કરતા હતા.
બુધવારે તેઓ પોતાની રૂમમાં એકલા હતા ત્યારે પોતાની સર્વિસ રાઇફલથી જાતે ફાયરીંગ કરી આત્મહત્યા કરી લીધી હતી. અચનાક ફાયરીંગનો અવાજ આવતાં અન્ય જવાનો દોડી આવ્યા હતા.
અને જવાનને મૃત હાલતમાં જોયો હતો. જવાને પોતાની સર્વિસ રાઇફલથી જાતે જ ગોળી મારી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ હતી.
બી.એસ.એફ. જવાને આત્મહત્યા કરી લીધી હોવાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જવાનના મૃતદેહને પી.એમ. અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
હાલમાં જવાને ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે અંગે કોઇ જ વિગતો જાણવા મળી નથી. આ ઉપરાંત આત્મહત્યા કરનાર જવાન ક્યાંનો છે અને કેટલાં સમયથી બી.એસ.એફ.માં ફરજ બજાવતો હતો તે અંગે હજી સુધી કંઇ જ જાણવા મળ્યું નથી.
From-Banaskantha update