ડીસાના બનાસ નદી પર આવેલ 70 વર્ષ જૂના બ્રિજ પર તિરાડો પડતાં હાઇવે ઓથોરિટી દ્વારા વાહનચાલકોના હીતમાં નિર્ણય લઇ બંધ કર્યો છે. ઓથોરિટી દ્વારા બ્રિજ પર સમારકામ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
ભારતના પશ્ચિમથી પૂર્વના છેડાને જોડતો મહત્વના બ્રિજ ડીસા નજીક આવેલ બનાસ નદી પર 70 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો.
બ્રિજ બન્યા બાદ મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હતા. ભારતની પશ્ચિમે આંતરરાષ્ટ્રીય સરહદને જોડતો આ મહત્વનું બ્રિજ વાહન વ્યવહાર માટે ખૂબ જ અગત્યનો માનવામાં આવે છે.
આ બ્રિજ પર તિરાડો પડતાં લોકો ભયભીત થઇ ગયા હતા. તાત્કાલીક બ્રિજ પર પડેલ તિરાડોના કારણે હાઇવે ઓથોરિટીને જાણ કરતાં હાઇવે ઓથોરિટી દ્વારા 70 વર્ષ જૂનો બ્રિજ બંધ કર્યો હતો.
આ બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરી નવો બનાવેલ બ્રિજ પર વાહન વ્યવહારની અવર-જવર ચાલુ કરાઇ હતી. 70 વર્ષ જૂના બ્રિજ પર તિરાડો પડતાં હાઇવે ઓથોરિટી દ્વારા સમારકામ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.
From-Banaskantha update