અમીરગઢ તાલુકાના જેથી ગામમાં આવેલ સીમમાં લીમડાના ઝાડે યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.
જ્યારે તાત્કાલીક અમીરગઢ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે અમીરગઢ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં આત્મહત્યાના બનાવોમાં દિવસેને દિવસે ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે.
બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ તાલુકાના જેથી ગામની સીમમાં લીમડાના ઝાડની ડાળીએ એક યુવકે અગમ્ય કારણોસર દોરડા વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.
આ ઘટનાની જાણ લોકોને થતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. તાત્કાલીક અમીરગઢ પોલીસને જાણ કરતાં અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.
યુવકના મૃતદેહને અમીરગઢ રેફરલમાં પી.એમ. અર્થે ખસેડાયો હતો. જો કે, યુવક ક્યાંથી આવ્યો તે ક્યા કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું તેને અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. આ અંગે અમીરગઢ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update