ઉત્તરાખંડમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ જેમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. કેદારનાથ ધામમાં બપોરે 12 વાગ્યાની આસપાસ એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે કેદારનાથથી 2 કિલોમીટર દુર ગરુડચટ્ટીમાં આ અકસ્માત સર્જાયો હતો. હેલિકોપ્ટર ક્રેશમાં 2 પાઇલટ અને 5 શ્રદ્ધાળુનાં મોત થયાં છે.
#WATCH | Uttarakhand: A helicopter carrying Kedarnath pilgrims from Phata crashes, casualties feared; administration team left for the spot for relief and rescue work. Further details awaited pic.twitter.com/sDf4x1udlJ
— ANI (@ANI) October 18, 2022
મંગળવારે કેદારનાથથી 2 કિ.મી. દૂર એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. અકસ્માતમાં 7 લોકોનાં મોતના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર આર્યન હેલી કંપનીનું હતું. એ ગરુડચટ્ટી પાસે ક્રેશ થયું હતું. આ દુર્ઘટના એવા સમયે બની છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21-22 ઓક્ટોબરે કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત લેવાના છે.
કેદારનાથના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, અહીં ભારે વરસાદ પડી રહ્યો હતો. માત્ર 15 મિનિટમાં હવામાન અચાનક ખરાબ થઈ ગયું હતુ. આ પછી અમારી ઉડાનને પણ અટકાવી દેવામાં આવી હતી. અમને કહેવામાં આવ્યું કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તેમણે જણાવ્યું હતું કે, આ હેલિકોપ્ટરમાં માત્ર શ્રદ્ધાળુઓ જ સવાર હતા.
અમિત શાહે ટ્વીટ કર્યું- કેદારનાથમાં શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરના દુર્ઘટનાની ઘટના ખૂબ જ દુઃખદ છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે આ દુર્ઘટના બાબતે રાજ્ય સરકાર સંપર્કમાં છીએ. સરકાર સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહી છે.
એક લોકલ ન્યૂઝ ચેનલે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં 7 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. આ દુર્ઘટનામાં 2 પાઇલટ સહિત 5 શ્રદ્ધાળુનાં મોત થયાં છે. ગુપ્તકાશીથી કેદારનાથ જતા ઉડાન દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. એવી આશંકા છે કે ગુપ્તકાશીથી કેદાર ઘાટી તરફ જતી વખતે આ અકસ્માત થયો હોવો જોઈએ. ત્યાં રાહત અને બચાવકાર્ય ચાલુ છે. જણાવીએ કે બે દિવસ બાદ પી.એમ મોદી કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત લેવાના છે.
From – Banaskantha Update