લાખણીના દેતાલમાં કોરોના મહામારી વચ્ચે સન્માન સમારોહ યોજાયો

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લામાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી છે અને દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. સરકાર દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે નિયમો જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ ખૂદ સરકારના જ સાંસદ પરબતભાઇ પટેલની હાજરીમાં રવિવારે લાખણીના દેતાલ ગામમાં કોરોના મહામારી વચ્ચે સન્માન સમારોહ યોજાયો છે.

 

 

સમગ્ર ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી છે અને સરકાર દ્વારા એસ.ઓ.પી. પણ જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ બનાસકાંઠામાં તો ખૂદ સરકારના સાંસદ સરકારની એસ.ઓ.પી. ને નેવે મૂકી સન્માન સમારોહમાં હાજરી આપી રહ્યા છે.

 

 

બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના દેતાલ ગામમાં રવિવારે નવનિયુક્ત બનેલા સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સન્માન સમારોહમાં બનાસકાંઠા જીલ્લાના સાંસદ પરબતભાઇ પટેલ પણ હાજર રહ્યા હતા.

 

 

આ સન્માન સમારોહમાં સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા પણ ઉડયા છે અને લોકો મોટી સંખ્યામાં કોરોનાની મહામારી વચ્ચે માસ્ક વગર પણ જોવા મળ્યા હતા. જ્યારે બનાસકાંઠા જીલ્લામાં દરરોજના 30 થી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે અને ગ્રામિણ વિસ્તારોમાં કોરોના મહામારી વચ્ચે સન્માન સમારોહ યોજાઇ રહ્યા છે.

 

 

જો આવી રીતે જ બનાસકાંઠા જીલ્લામાં કોરોના મહામારી વચ્ચે ભાજપના સાંસદ અને ભાજપના આગેવાનો વચ્ચે જો સન્માન સમારોહ યોજાશે તો આગામી સમયમાં બનાસકાંઠા જીલ્લામાં કોરોનાના કેસોમાં રાફડો ફાટે તેવી સંભાવના સેવાઇ રહી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!