કરુણ વિડીયો : કુદરત આગળ લાચાર મૂકબધિર પુત્ર માતાના મૃતદેહને લાકડાની ગાડી પર ખેંચી 10 કિલોમીટર દૂર પહોંચી અંતિમ સંસ્કાર કર્યાં

Share

 

કુદરતની કઠોરતા વચ્ચે માનવતા પણ મરી પરવારી હોય તેવા લાચારીના દર્દનાક દ્રશ્યો અંકલેશ્વર અને ભરૂચ માર્ગ ઉપરથી સામે આવ્યા હતા.

 

 

ભીક્ષા માંગી પોતાનો અને માતાના પેટનો ખાડો પૂરતા મૂકબધિર પુત્રની માતાનું નિધન થતાં લાચાર યુવકે અંકલેશ્વરથી ભરૂચ સુધી જે માતાને હાથ ગાડી ઉપર બેસાડી ભીક્ષા માંગતો હતો.

 

 

તેના ઉપર જ સુવડાવી સ્મશાન માટે કિલોમીટર સુધી નિઃસહાય અવસ્થામાં અંતિમ યાત્રાએ એકલા હાથે જ ઝઝૂમવું પડયું હતું.

 

 

ગરીબી, લાચારી અને શારીરિક અસક્ષમતામાં પણ એક મૂકબધિર યુવકે માતાના મૃતદેહની અંતિમ ક્રિયા માટે સ્મશાન સુધી એકલા હાથે ખેડેલી સફરના વિડીયોએ કેટલાંયના હૃદય હચ મચાવી દીધા છે.

 

 

જો કે, આ મૂકબધિર યુવક જ્યારે માતાને ભીક્ષા માંગવાની હાથ ગાડી ઉપર સુવાડી હાથ ગાડી ખેંચતો અંકલેશ્વરથી ભરૂચ તરફ એક એક ડગ માંડતો હતો.

 

 

ત્યારે તેની લાચારી અને મૂકબધિરતાને માર્ગ પરથી પસાર થતાં અને નજરે જોનાર હજારો માનવો પણ વાચા આપી ન શકતાં માત્ર મૂક પ્રેક્ષક જ બની રહ્યા હતા.

 

 

અંકલેશ્વરના એક મૂકબધિર શ્રમજીવીએ એકલા હાથે જ માતાની અંતિમ યાત્રા કિલોમીટર સુધી કાઢી હતી. મૂકબધિર દીકરાએ પોતાની માતાના અંતિમ સંસ્કાર માટે માતાના મૃતદેહને જાહેર માર્ગ ઉપર એક રસીના સહારે નાનકડી

 

 

ગાડીવાળી ગાડી ઉપર જાહેર માર્ગ ઉપરથી લઇ આવી કોઇ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવા અર્થે આવતાં એક સમયે સ્મશાનમાં રહેલા લોકો પણ ભાવુક બની જતાં તેઓની આંખો ભીની થઇ ગઇ હતી.

 

જન્મજાત મૂકબધિર શ્રમજીવીની માતા રવિવારે મૃત્યુ પામી હતી. માતાનું મૃત્યુ થતાં મૂંગા દીકરા માટે માતાના અંતિમ સંસ્કાર કુદરતની કઠોરતા વચ્ચે કસોટી સમાન બની ગયા હતા.

 

કંઇ બોલી ન શકે કે, કોઇને કાંઇ કહી પણ ન શકે કેવી રીતે સમજાવે જેવા ઘણા પ્રશ્નો વચ્ચે છેલ્લે એ મૂકબધિર પુત્રએ એકલા હાથે લારી પર માને લઇને ભીખ માંગતો તે જ લારી પર એકલા હાથે લારી ખેંચી નર્મદા નદી નીચે આવેલ સ્મશાન સુધી લઇ જવા નીકળી પડયો હતો.

 

રસ્તે અનેક લોકો મળ્યા પણ એ કોઇને કોઇ ન સમજાવી શક્યો. આખરે કોઇ રાહદારી દ્વારા સામાજીક કાર્યકર અને સ્મશાનના સંચાલકને ફોન કરતાં તેઓ દોડી આવ્યા હતા.

 

જો કે, ત્યાં સુધી ઘણું જ મોડું થઇ ગયું હતું. માતાના શબને હાથ ગાડી ઉપર ખેંચતો ખેંચતો મૂકબધિર પુત્ર અંકલેશ્વરથી ભરૂચ કોવિડ સ્મશાન સમીપ કેટલાંક કિલોમીટર કાપી ચૂક્યો હતો.

 

અંતે બોરભાઠા ગામના યુવકોની મદદથી માતાનો મૃતદેહ કોવિડ સ્મશાનમાં લવાયો હતો. જ્યા કોવિડ સ્મશાનના સંચાલકે તાત્કાલીક મૂકબધિર પુત્રની વ્હારે દોડી જઇ લારી અને મૃતદેહને કોવિડ સ્મશાનમાં લઇ જઇ મૂંગા પુત્રને

 

સાંત્વના આપી હીન્દુ શાસ્ત્ર પ્રમાણે, હીન્દુ રીવાજ મુજબ કફન સામગ્રી મંગાવી મૂંગા પુત્રના હાથે માતાની અગ્નિ સંસ્કાર વિધી કરાવી હતી. મૂકબધિર પુત્ર માતાની ચિતાને અગ્નિદાહ આપી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયો હતો.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share