નશાના ચુંગાલમાં ફસાયેલ સગીરે કુહાડીના ઘા મારી કરી માતા-પિતાની કરપીણ હત્યા : પોલીસે અટકાયત કરી લીધી

Share

 

રાજસ્થાનના હનુમાનગઢના 15 વર્ષના બાળકે બુધવારે મોડી રાત્રે ખાટલા પર સૂતેલા તેના માતા-પિતાની કુહાડીથી હુમલો કરી હત્યા કરી છે. આ સિવાય તેણે નાના ભાઇના માથા પર પણ કુહાડીથી હુમલો કર્યો હતો. પછીથી નાના ભાઇને લોહી લુહાણ હાલતમાં ત્યાં છોડીને તે ત્યાંથી ભાગી ગયો હતો.

 

 

સગીર બાળક હત્યા કર્યાં પછીથી ત્યાંથી નજીકમાં રહેતાં લોકોને આખા ઘટનાક્રમ વિશે વાત કરી હતી. આ અંગેની માહિતી મળ્યા પછી પોલીસ ત્યાં પહોંચી તો નાના ભાઇના શ્વાસ ચાલી રહ્યા હતા. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

 

 

માતા-પિતાના શબને હોસ્પિટલની મોર્ચરીમાં મોકલવામાં આવ્યા હતા. પછીથી તેનું પી.એમ. કરીને બંનેના શબને પરિવારને સોંપવામાં આવ્યા છે. પોલીસે હત્યાના મામલામાં સગીર પુત્રની અટકાયત કરી છે. લોહીવાળી કુહાડીને પણ પોલીસે જપ્ત કરી છે.

 

 

આ અંગે પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ રવિન્દ્રસિંહે જણાવ્યું હતું કે, ‘નોહરના ફેફાના ગામમાં શિશપાલ (ઉં.વ.આ. 42), પત્ની ઇન્દ્રા(ઉં.વ.આ. 38) અને 15 વર્ષનો પુત્ર અજય અને તેના નાના પુત્ર સાથે રહેતાં હતા. 12 વીઘા જમીનમાં દંપતી ખેતી કરતા હતા. 15 વર્ષના છોકરાને નાની ઉંમરમાં જ વ્યસન લાગી ગયું હતું.

 

 

વ્યસનથી હેરાન થઇ ગયેલા માતા-પિતાએ તેને વ્યસન મુક્તિ કેન્દ્રમાં મોકલ્યો હતો.તે 2-3 દિવસ પહેલાં જ ત્યાંથી પરત આવ્યો હતો. બુધવારે સાંજે તેને ખબર પડી કે તેને ફરીથી નશા મુક્તિ કેન્દ્રમાં મોકલવામાં આવશે.

 

 

રાત્રે લગભગ 9:00 વાગ્યે તેના માતા-પિતા ખાટલામાં સૂઇ રહ્યા હતા. ભાઇ બીજા રૂમમાં હતો. આ દરમિયાન સગીર પુત્ર કુહાડી લઇને તેના માતા-પિતાના રૂમમાં ગયો હતો. તેણે માતા-પિતાના રૂમમાં જઇને તેમના ગળા પર જીવલેણ હુમલો કર્યો હતો.

 

 

એને પગલે બંનેના મોત નિપજ્યા હતા. અવાજ સંભળાતાં જ નાનો ભાઇ રૂમમાંથી દોડી આવ્યો હતો. જો કે, તેની પર પણ મોટા ભાઇએ કુહાડીથી હુમલો કર્યો હતો. લોહી લુહાણ થયેલો નાનો ભાઇ જમીન પર બેભાન થઇને ઢળી પડયો હતો. તેને મૃત્યુ પામેલો સમજીને સગીર ત્યાંથી ભાગી ગયો હતો.’

 

 

 

સગીરે બાજુમાં આવેલા ઢાંણીમાં જઇને લોકોને જણાવ્યું હતું કે, ‘તેણે પોતાના માતા-પિતાને મારી નાખ્યા છે. તેની વાત સાંભળતાં જ લોકો નવાઇ પામ્યા હતા. ઘરે જઇને જોયું તો ખાટલા પર માતા-પિતા અને નાનો ભાઇ જમીન પર લોહી લુહાણ સ્થિતિમાં પડેલા હતા.

 

 

માહિતી મળ્યા પછી ત્યાં પોલીસ પહોંચી તો નાના પુત્રના શ્વાસ ચાલી રહ્યા હતા. તેને તાત્કાલીક સીરસાની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પછીથી પોલીસે પી.એમ. અર્થે શબને હોસ્પિટલની મોર્ચરીમાં મોકલી આપ્યા હતા અને માતા-પિતાના હત્યારા સગીર દીકરાની અટકાયત કરી છે. પોલીસે ઘટનાસ્થળેથી લોહીવાળી કુહાડી પણ જપ્ત કરી છે.’

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share