કાંકરેજના થરા-હારીજ નજીક એેસ.ટી. બસના ચાલકે ટ્રેક્ટરને ટક્કર મારતાં યુવકનું મોત

Share

 

કાંકરેજના થરા-હારીજ નજીક બુધવારે એસ.ટી. બસના ચાલકે ટ્રેક્ટરને ધડાકાભેર ટક્કર મારતાં પલ્ટી ખાતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યું ટ્રેક્ટરના ચાલકનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

 

 

આ ઘટનાની જાણ થરા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ અંગે થરા પોલીસે એસ.ટી.બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે કાંકરેજ તાલુકાના થરા-હારીજ નજીક બુધવારે એસ.ટી. બસ નં. GJ-18-Z-3924 ના ચાલકે પૂરઝડપે હંકારી ગફલતભર્યું ડ્રાઇવીંગ કરી આગળ જઇ રહેલા ટ્રેક્ટરને ધડાકાભેર ટક્કર મારતાં પલ્ટી ખાઇ ગયું હતું.

 

 

જેમાં કાંકરેજ તાલુકાના મોટા જામપુરા ગામમાં રહેતાં ટ્રેક્ટરના ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે થરા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી મૃતકની લાશને પી.એમ. અર્થે થરા રેફરલમાં ખસેડી હતી.

 

 

આ બનાવના સમાચાર વાયુવેગે ગામમાં પ્રસરતાં શોકનો માહોલ છવાયો છે. જ્યારે પરિવારજનોમાં ઘેરા શોકની કાલીમા પ્રસરી છે. આ અંગે થરા પોલીસે એસ.ટી. બસના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share