ભાભરના રૂણી નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં મંગળવારે સામૂહીક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. નર્મદા કેનાલમાં માતાએ તેના પુત્ર અને પુત્રી સાથે કેનાલમાં ઝંપલાવતાં માતા અને પુત્રનું મોત નિપજ્યું હતું. જ્યારે પુત્રીનો આબાદ બચાવ થયો છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં આત્મહત્યા અને હત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે મંગળવારે વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. ભાભરના રૂણી નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં સામૂહીક આત્મહત્યાનો બનાવમાં એક મહીલા તેના બે બાળકો સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.
મહીલાએ તેના બે બાળકો સાથે કેનાલમાં ઝંપલાવવાની ઘટનાના પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા અને સ્થાનિક તરવૈયાની મદદથી કેનાલમાં ઝંપલાવેલ મહીલા તેમના બે બાળકો સાથે કેનાલમાં બહાર કાઢવા માટે શોધખોળ હાથ ધરી હતી. જેમાં કેનાલમાંથી માતા અને પુત્રનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. જ્યારે પુત્રીની જીવતી બહાર નીકાળી તેનો આબાદ જીવ બચાવ્યો હતો.
From-Banaskantha update