બનાસકાંઠાના પાલનપુરમાં શનિવારે યુથ કોંગ્રેસની રેલી યોજાઇ હતી. જેમાં યુથ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો સહીત ધારાસભ્યો રવાના થયા છે.
જ્યારે મોંઘવારી અને ભાવ વધારાને લઇ જયપુરમાં સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં જન સંવેદના કાર્યક્રમ યોજાશે.
બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં શનિવારે યુથ કોંગ્રેસની રેલી યોજાઇ હતી. જેમાં જયપુરમાં યોજાનાર કોંગ્રેસના જન સંવેદના કાર્યક્રમમાં જવા યુથ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો સહીત ધારાસભ્યો રવાના થયા છે.
જ્યારે મોંઘવારી અને ભાવ વધારાને લઇ જયપુરમાં સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં જન સંવેદના કાર્યક્રમ યોજાશે. પાલનપુરથી પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખની આગેવાનીમાં રેલી યોજાઇ છે.
જેમાં 50 થી વધુ ગાડીઓના કાફલા સાથે રેલી યોજાઇ હતી. જ્યારે કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો અને ધારાસભ્યો મોટી સંખ્યામાં જોડાયા છે.
From-Banaskantha update