પાલનપુરમાં પૂર્વ સૈનિક કલ્યાણ સંઘે હેલિકોપ્ટર દુર્ઘટનાના શહીદવીરોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં

Share

પૂર્વ સૈનિક કલ્યાણ સંઘ ગુજરાત (બનાસકાંઠા) અને સરસ્વતી વિદ્યાસંકુલ, પાલનપુર દ્વારા હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા સી.ડી.એસ. બિપિનસિંહ રાવત, તેમના ધર્મપત્ની અને અન્ય શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

 

આ અંગે પૂર્વ સૈનિક કલ્યાણ સંઘ બનાસકાંઠાના પ્રમુખ જશવંતસિંહ પરમારે શ્રદ્ધાસુમન અર્પણ કરતાં જણાવ્યું હતુ કે, દેશની ત્રણેય પાંખના વડા સી.ડી.એસ. બિપીનસિંહ રાવતને દેશ સેવાની ભાવના માટે આપણે હંમેશા તેમને યાદ રાખીશું. બિપીનસિંહ રાવતે 43 વર્ષ સુધી સેનામાં વિવિધ જવાબદારીઓ અદા કરી દેશની સેવા કરી છે.

 

તેમના આકસ્મિક નિધનથી ભારતીય સેનાને ખૂબ મોટી ખોટ પડી છે. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે એવી તેમણે પ્રાર્થના કરી હતી. શ્રદ્ધાસુમનના આ કાર્યક્રમમાં પૂર્વ સૈનિક કલ્યાણ સંઘના ઉપપ્રમુખ કિરીટ સોલંકી, એક્સ-આર્મીમેન જશવંતસિંહ રહેવર, સરસ્વતી સ્કૂલના આચાર્ય અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

From – Banaskantha Update


Share