પાલનપુરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા : રૂ. 8 લાખના મત્તાની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર

Share

 

પાલનપુર સોનબાગ વિસ્તારમાં આવેલા બંધ મકાનમાં બુધવારે રાત્રે તસ્કરોએ રૂ. 8 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. આ અંગે પરિવારજનોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

[google_ad]

 

 

પાલનપુર સોનબાગ વિસ્તારમાં આવેલી ચામુંડા સોસાયટીમાં રહેતાં ઇશ્વરભાઇ પરમાર પરિવારજનો સાથે બહાર ગામ ગયા હતા. ત્યારે બુધવારે રાત્રે અજાણ્યા શખ્સોએ મકાનના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો.

[google_ad]

 

 

 

 

 

 

 

જ્યાં મકાનમાં પડેલી તિજોરી તોડી અંદરથી રૂ. 1,00,000 રોકડા અને સોના-ચાંદીના દાગીના મળી કુલ અંદાજીત રૂ. 8 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે ગુરુવારે વહેલી સવારે જાણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઇ છે.

[google_ad]

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share