ગૃહમંત્રીના ઘરની બહારથી જ બ્યુટીફીકેશન માટે મુકાયેલી છત્રીઓની અજાણ્યા શખ્સોએ ચોરી કરતાં ચકચાર

Share

 

 

ફરિયાદોને પગલે બુધવારે મેયર હેમાલી બોઘાવાળા દ્વારા પારલે પોઇન્ટ બ્રિજ નીચે તૈયાર કરાયેલા બ્યુટીફીકેશન પ્રોજેક્ટ અને એક્ટિવિટી ઝોનની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં લાઇટો ચોરાઇ ગઇ છે કે છત્રીઓ ચોરાઇ ગઇ છે.

[google_ad]

 

 

સુરત શહેર માટે ગર્વની વાત છે કે, શહેરને પાંચ પાંચ ધારાસભ્યોને મંત્રી પદ મળ્યા છે. જેમાં પણ મંત્રી મંડળમાં સૌથી અગત્યના મનાતા ગૃહ મંત્રાલયનું પદ મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીને મળ્યું છે. જો કે, આખા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળતાં ગૃહમંત્રીના ઘરની બહાર જ સલામતીની કોઇ વ્યવસ્થા નથી એવું એક ઘટના પરથી સાબિત થાય છે.

[google_ad]

 

 

 

 

વાસ્તવમાં મજુરા વિસ્તારમાં પારલે પોઇન્ટ બ્રિજ નીચે સુરત મહાનગરપાલિકા દ્વારા બ્યુટીફીકેશન અને એક્ટિવિટી ઝોન તૈયાર કરવામાં આવ્યા છે. દિવાળી વેકેશનમાં મોટી સંખ્યામાં લોકો તેની મુલાકાત પણ લેવામાં આવી રહી છે.

[google_ad]

 

 

 

 

જો કે, ચાર દિવસની ચાંદની જેવો ઘાટ આ બ્યુટીફીકેશન પ્રોજેક્ટનો રહ્યો છે. અહીં લોકો દ્વારા આ સ્થળની મુલાકાત લેવામાં આવી તેમના દ્વારા અસંખ્ય ફરિયાદો પણ કરવામાં આવી છે. જે પ્રમાણે, આ એક્ટિવિટી ઝોન જ્યારે તૈયાર કરાયું ત્યારે તો તે જોવાલાયક હતું પરંતુ હવે તેની જાળવણી માટે કોઇ જ હાજર હોતું નથી. જેને લીધે બ્રિજની નીચે જે છત્રીઓથી સુંદરતા ઉભી કરાઇ હતી. જેમાં કેટલીક છત્રીઓને તો તોડી નાખવામાં આવી છે અને ચોરાઇ ગઇ છે. એટલું જ નહીં જ્યાં ગાર્ડનિંગ કરાયું છે ત્યાં પણ અંદર ઘૂસીને લોકો ફોટા પાડી રહ્યા છે. જેને કારણે ગાર્ડનિંગની શોભા પણ બગડી ગઇ છે. આઇ લવ સુરત લખ્યું છે એમ પણ ફક્ત એક-બે અક્ષરની લાઇટો જ ચાલુ છે.

[google_ad]

 

 

 

 

આમ સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો આ પ્રોજેક્ટ પાછળ કરવામાં આવ્યો પરંતુ હવે તેની યોગ્ય જાળવણી કરવામાં આવી રહી નથી. મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ એટલા બિન્દાસ બની ગયા છે અને તેનો સીધો ફાયદો તોફાનીઓને થઇ રહ્યો છે.

[google_ad]

 

 

 

ફરિયાદોને પગલે બુધવારે મેયર હેમાલી બોઘાવાળા દ્વારા પારલે પોઇન્ટ બ્રિજ નીચે તૈયાર કરાયેલા બ્યુટીફીકેશન પ્રોજેક્ટ અને એક્ટિવિટી ઝોનની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં લાઇટો ચોરાઇ ગઇ છે કે છત્રીઓ ચોરાઇ ગઇ છે અને મિલ્કતને નુકશાન કરવામાં આવ્યું છે તે ક્ષતિઓ દૂર કરવા માટે મેયર દ્વારા સુચનાઓ અપાઇ હતી અને જરૂર પડયે અહીં સિક્યોરીટીની વ્યવસ્થા ઉભી કરવા માટે પણ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે.

[google_ad]

 

 

 

 

 

From-Banaskantha update

 

 


Share