પાલનપુરથી નિરામય ગુજરાત મહા અભિયાનનો પ્રારંભ તા. 12 મી નવેમ્બરે મુખ્યમંત્રી કરાવશે

Share

 

લોકોના આરોગ્ય સુખાકારી માટે બિનચેપી રોગોની સ્ક્રીનીંગથી સારવાર સુધીના નિરામય ગુજરાત મહાઅભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી તા. 12 નવેમ્બરના રોજ પાલનપુર ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. પાલનપુર જી. ડી. મોદી ખાતે યોજાનાર આ નિઃશુલ્ક મેગા કેમ્પના કાર્યક્રમને અનુલક્ષી પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જીલ્લાના અધિકારી-પદાધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં નિરામય ગુજરાત અંતર્ગત આપવામાં આવનાર સારવાર અંગે ચર્ચા કરાઇ હતી.

[google_ad]

 

અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી-બનાસકાંઠા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-ગુજરાત રાજ્યના ઉપક્રમે યોજાનાર લોકોના આરોગ્યની સુખાકારી માટેના નિરામય ગુજરાત મહાઅભિયાનના મેગા હેલ્થ કેમ્પમાં તા.12/11/2021, શુક્રવારે સવારે 9:00 થી 5:00 વાગ્યા સુધી જી. ડી. મોદી કોલેજ કેમ્પસ-પાલનપુર ખાતે લોહીનું ઉંચુ દબાણ (હાઇપરટેન્શન), મધુપ્રમેહ(ડાયાબીટીસ), મોંઢા/સ્તન/ગર્ભાશયના મુખનું કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ(એનેમિયા) અને કેલ્શિયમની ઉણપ સહીતના રોગોની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે.

[google_ad]

 

 

આ નિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પમાં નીચે જણાવ્યા મુજબના નિષ્ણાંત તબીબી ર્ડાક્ટરો અને પેરા મેડીકલ સ્ટાફ દ્વારા સેવાઓ અપાશે. જેમાં એમ.એસ. જનરલ સર્જન, સર્જીકલ ઓન્કોલોજીસ્ટ, મેડીકલ ઓફીસર, ડેન્ટલ સર્જન (દાંત રોગ નિષ્ણાંત), એમ.ડી. ફીજીશીયન, માનસિક રોગ નિષ્ણાંત, ગાયનેક ઓન્કોલોજીસ્ટ, એમ.એસ. ગાયનેક (સ્ત્રી રોગ નિષ્ણાંત), એમ.એસ.ઇ.એન.ટી.સર્જન (કાન, નાક, ગળાના સર્જન) અને એમ.ડી. ડર્મેટોલોજીસ્ટ (ચામડી રોગ નિષ્ણાંત) ર્ડાકટરો વિનામૂલ્યે સેવાઓ આપશે.

[google_ad]

 

 

 

આ ઉપરાંત વિવિધ લેબોરેટરી તપાસ અને અન્ય સુવિધાઓ મળશે. લોહીની તપાસ, હીમોગ્લોબીન તપાસ, બ્લડ સુગર, સીરમ ક્રિએટીન, બ્લડ યુરીયા, યુરીન સુગર, આલ્ફ્યુમિન, લિપીડ પ્રોફાઇલ, લીવર ફંક્શન ટેસ્ટ, સીરમ કેલ્શિયમ, ઇ.સી.જી. તપાસ, બી.એમ.આઇ. તપાસ, મેમોગ્રાફી તપાસ (સ્તનની તપાસ), ગર્ભાશયના મુખની વિલી ટેસ્ટ/પેપ સ્મીયર તપાસ અને અલ્ટ્રા સોનોગ્રાફી તપાસ પણ વિનામૂલ્યે કરવામાં આવશે અને મેગા હેલ્થ કેમ્પમાં વિનામૂલ્યે દવા વિતરણ અને પી.એમ.જે.એ.વાય.-આયુષ્માન કાર્ડ પણ નિઃશુલ્ક કાઢી આપવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ નિઃશુલ્ક મેગા કેમ્પનો જીલ્લાના લોકોને લાભ લેવા બનાસકાંઠા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અપિલ કરાઇ છે.

[google_ad]

 

 

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી સ્વન્પીલ ખરે, પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ, જીલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, જીલ્લા ભાજપ પ્રભારી નંદાજી ઠાકોર, અગ્રણીઓ દિલીપભાઇ વાઘેલા, કનુભાઇ વ્યાસ, દશરથસિંહ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર એ.ટી.પટેલ, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઇ.શેખ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. એસ.એન.દેવ, સીવીલ સર્જન ર્ડા. ભરત મિસ્ત્રી સહીત આરોગ્યના અધિકારીઓ અને સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[google_ad]

 

 

 

From-Banaskantha update

 

 


Share