બનાસકાંઠા જીલ્લામાં પણ આ વખતે ગુરૂ પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ખરીદીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. કોરોના મહામારી, મોંઘવારી અને બીમારીના કારણે જીલ્લાની અંદર સોના-ચાંદી વેપારીઓને પણ 75 ટકા જેટલો ફટકો પડયો છે.
[google_ad]
સોના-ચાંદીની ખરીદી માટે ગુરૂ પુષ્ય નક્ષત્રથી સૌથી શુભ મૂર્હુત ગણાય છે અને આ સમયે મોટાભાગના લોકો સોના-ચાંદીની ખરીદી કરતાં વેપારીઓને પણ ફાયદો થતો હોય છે.
[google_ad]
જો કે, આ વખતે બનાસકાંઠા જીલ્લામાં સોના-ચાંદીના વેપારીઓને મોટો ફટકો પડયો છે.કારણ કે, છેલ્લા બે વર્ષથી સતત કોરોના મહામારી, મોંઘવારી અને બીમારીના કારણે લોકોએ સોના-ચાંદીના દાગીના ખરીદવાનું મહંદઅંશે ટાળ્યું છે.
[google_ad]
બનાસકાંઠા જીલ્લાની વાત કરીએ તો દર વર્ષે ગુરૂ પુષ્ય નક્ષત્રમાં રૂ. 5 થી 6 કરોડ જેટલો વેપાર થતો હતો પરંતુ આ વર્ષે માત્ર રૂ. દોઢ થી બે કરોડ જેટલો વેપાર થયો છે એટલે 75 ટકા જેટલો ફટકો સોના-ચાંદીના વેપારીઓને પડયો છે.
[google_ad]
જયારે ગુરૂવારે બનાસકાંઠા જીલ્લામાં અને ખાસ કરીને સોના-ચાંદી માટે સૌથી વધુ ખરીદી કરતાં ડીસા શહેરમાં પણ પુષ્ય નક્ષત્રને લઇ લોકો સોના-ચાંદીની ખરીદી કરતાં જોવા મળ્યા હતા.
[google_ad]
ખાસ કરીને મહીલાઓ સોના-ચાંદીના ઘરેણાંની ખરીદી કરે છે. જેથી ડીસામાં આવેલ સોના-ચાંદીની મોટાભાગની દુકાનો પર લોકો સોના-ચાંદીના ઘરેણાંની ખરીદી કરતાં નજરે પડયા હતા.
[google_ad]
જ્યારે મોંઘવારી અને બજારમાં મંદીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પુષ્ય નક્ષત્રના દિવસે ગ્રાહકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
[google_ad]
[google_ad]
From-Banaskantha update