સૂઇગામના મોરવાડા નજીક છકડાનું ટાયર જામ થતાં છકડો પલટતાં યુવકનું મોત : 7 વ્યક્તિઓ ઘાયલ

Share

 

સૂઇગામના મોરવાડા ગામ નજીક છકડાનું ટાયર જામ થતાં છકડો પલટતાં એક યુવકનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે 7 વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ થઇ હતી. મોરવાડા ગામથી સૂઇગામ વિસ્તારમાં જુવાર વાઢવાની મજૂરી અર્થે ગામના રમેશભાઇ લવાભાઇ રાવળના છકડામાં બેસી શનિવારે સવારે જતા હતા.

 

 

મોરવાડાથી 1 કી.મી. આગળ છકડાનું ટાયર જામ થતાં છકડો રોડ સાઇડની ચોકડીઓમાં પલટતાં સવજીભાઇ રાણાજી ઠાકોર (ઉં.વ.આ. 18) ને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું.

 

 

જ્યારે છકડામાં સવાર રાણાભાઇ પ્રભુજી ઠાકોર, સતિષભાઇ રાણાભાઇ ઠાકોર, બળવંતભાઇ વેરસીજી ઠાકોર, વિનોદભાઇ બળવંતજી ઠાકોર, દિનેશભાઇ ભેમાભાઇ પારેગી, મુકેશભાઇ ભેમાભાઇ પારેગી અને રમેશભાઇ લવાભાઇ રાવળને નાની-મોટી ઇજાઓ થતાં 108 વાન મારફતે સૂઇગામ સી.એચ.સી. માં સારવાર અર્થે ખસેડયા હતા. આ અંગે છકડો ચાલક રમેશભાઇ લવાભાઇ રાવળ સામે સૂઇગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share