માં અંબાના દર્શન કરી લાભાર્થીઓને મફત પ્લોટની સનદો આપશે
આવતીકાલે તા. 13 ઓક્ટોબર-2021 બુધવારના બપોરે 3:00 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં નવરાત્રિના આઠમા નોરતે માં અંબાના દર્શન કરી માતાજીના આશિર્વાદ મેળવશે. ત્યારબાદ વિચરતી અને વિમુક્ત જાતિના 33 જેટલાં પરિવારના લાભાર્થીઓને રહેણાંકના હેતુ માટે વિનામૂલ્યે પ્લોટ ફાળવણીની સનદોનું વિતરણ કરશે.
વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારોને સ્થાયી કરવા માટે બનાસકાંઠા જીલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા તા. 8 ઓક્ટોબર-2021 ના હુકમથી દાંતા તાલુકાના કુંભારીયામાં સર્વે નં. 136 (જૂના સ.નં. 129 અ/પૈકી 1) ની 6000 ચો. મી. જમીનમાં 80 ચો.મી. ની મર્યાદામાં મફત પ્લોટ ફાળવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
From-Banaskantha update