ભારત દેશની રક્ષા કરનાર ફોજી પોતાનું તન મન એક કરી દેશની રક્ષા કરતા હોય છે. એ દેશ માટે હંમેશા અડીખમ ઉભો રહે છે. આજે ડીસા ખાતે CRPF આસીટન્ટ કમાન્ડર કાંતિલાલ ઓખાજી પુરોહિત ફરજ પરથી નિવૃત થતા સમસ્ત પુરોહિત સમાજ દ્વારા નિવૃત જવાનનું ભવ્ય સ્વાગત કરી ડીસા રાજ મંદિરથી વેલુંનગર સુધી રેલી યોજવામાં આવી હતી.
[google_ad]
કાંતિલાલ પુરોહિતએ 40 વર્ષ દેશ માટે આપી આજે ફરજ પરથી નિવૃત થયા હતા. જોકે, ડીજેના તાલ સાથે ફટાકડા ફોડી વીર જવાનનું ભવ્યવસ્વાગત કર્યુ હતું જેમાં સમાજના આગેવાની સાથે કલાપીનગર સોસાયટીના સ્થાનિકો પણ જોડાયા હતા.
From – Banaskantha Update