પ્રેમિકાની પુત્રીનું અપહરણ કરી અદાવત રાખીને હત્યા કરનાર ત્રણ શખ્સોને એલ.સી.બી. પોલીસે ઝડપ્યા : મુખ્ય સૂત્રધાર ફરાર

- Advertisement -
Share

ગઢ વિસ્તારમાં સામઢી ગામ નજીકથી સપ્તાહ અગાઉ ડીસાના વિરેનપાર્કના જગદીશ ભાઇ ઉર્ફે જીગર વિષ્ણુભાઇ રામાનંદી (સાધુ)નો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેની એલ.સી.બી.એ તપાસ હાથ ધરી હતી. પીઆઇ એચ. પી. પરમારે જણાવ્યું હતુ કે, પી.એસ.આઇ. આર. જી. દેસાઇ અને ટીમ સાથે મળી હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. જેમાં મૃતક જગદીશ સાધુ અને ડીસા રીજમેન્ટ વિસ્તારનો પ્રકાશ ઉર્ફે પપ્પુ શંકરજી ઠાકોર બંને મિત્રો હતા. જોકે, જગદીશે અગાઉ આ પ્રકાશની પ્રેમિકાની પુત્રીનું અપહરણ કર્યુ હતુ.

[google_ad]

જે બંને મળી આવ્યા પછી સમાધાન કરવામાં આવ્યું હતુ. જેની અદાવત રાખી પ્રકાશ ઠાકોરે અન્ય સાગરિતો ભરતભાઇ ઉર્ફે રૂડો ઘેમરજી ઠાકોર, અંકિતભાઇ ઉર્ફે બંટી સુભાષ ભાઇ પપારામ યાદવ અને રાકેશ હસમુખલાલ ખત્રીની મદદથી જગદીશ સાધુની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી.પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.મુખ્ય હત્યારાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

[google_ad]

 

ચારેય શખ્સો ભોયણ ગામે ભેગા થયા હતા. જ્યાં જગદીશ સાધુને બોલાવી અલગ- અલગ વાહનોમાં બનાસ નદીના પટમાં લઇ ગયા હતા. જ્યાં હત્યા કરી મૃતદેહને સામઢી નજીક ફેંકી દીધો હતો. પોલીસે હત્યામાં વપરાયેલ ઇકો,મોબાઇલ મળી કુલ રૂપિયા 2,56,000નો મુદ્દમાલ કબ્જે લીધો છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!