સુલતાન મીર સ્થાનિક તરવૈયાઓની ટીમે બંનેની લાશને શોધવા કવાયત હાથ ધરી હતી અને 6 કલાકની ભારે જહેમત બાદ આ પ્રેમી યુગલની લાશ બહાર કઢાઇ
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર વદારો જોવા મળી રહ્યો છે. કોરોનાકાળ બાદ આર્થિક તંગીથી પરેશાન અનેક લોકોએ આપઘાતનો રસ્તો અપનાવ્યો હોવાનું સામે આવી ચુક્યું છે, સાથે-સાથે પ્રેમી પંખીડાઓના આપઘાતની ઘટનાઓ પણ સતત સામે આવી રહી છે. આજે થરાદ નજીક પસાર થતી કેનાલમાં ફરી એકવાર પ્રેમી યુગલની લાશ મળી આવી છે. એક પુત્રના પિતા અને પરણીત યુવતીના પ્રેમનો કરુંણ અંજામ જોવા મળી રહ્યો છે.
[google_ad]
પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠામાં થરાદ પાસે નર્મદા કેનાલમાંથી આજે વધુ એક પ્રેમી યુગલે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે, જેમાં સ્થાનિક તરવૈયાઓની ટીમે 6 કલાકની ભારે જહેમત બાદ બંને યુગલની લાશ શોધી કાઢી છે. જ્યારે લાશ બહાર કઢાઈ ત્યારે બંને એક બીજાને બાથ ભરેલી હાલતમાં મળી આવ્યા હતા.
[google_ad]
વિગતે વાત કરીએ તો, બનાસકાંઠામાં આવેલી નર્મદાની મુખ્ય કેનાલ હવે અભિશાપરૂપ સાબિત થઇ જાય છે. આ કેનાલ સુસાઈટ પોઈન્ટ સમાન બની ગઈ છે. આજે પણ એક પ્રેમી યુગલે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. થરાદ તાલુકાના ખાનપુર ગામના રહેવાસી અને એક પુત્રના પિતા (27) કિરણ વ્યાસ નામના યુવકને ડેડાવ ગામની 21 વર્ષીય પરણીત યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને એકબીજા સાથે જીવવા મરવાના કોલ કરતાં અને સમાજ તેમના આ પ્રેમને નહીં સ્વીકારે તેવા ડરથી આજે સવારે બંનેએ થરાદ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી.
[google_ad]
આ ઘટનાની જાણ થતા જ સુલતાન મીર સ્થાનિક તરવૈયાઓની ટીમે બંનેની લાશને શોધવા કવાયત હાથ ધરી હતી અને 6 કલાકની ભારે જહેમત બાદ આ પ્રેમી યુગલની લાશ બહાર કઢાઇ હતી. બંનેની એકબીજાને બાથ કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા. જ્યારે બંને યુગલની લાશને તેમના પરિવારજનોને સોંપી દેવાઇ હતી. આ મામલે પોલીસને જાણ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
[google_ad]
From – Banaskantha Update