ડીસામાં બ્રીજ બન્યા પછી પણ હજુ ચાલુ ન થતા ટ્રાફિકની સમસ્યાથી હજી પણ લોકો હેરાન – પરેશાન

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા ભારતનો બીજા સ્થાને આવતો એવો એલિવેટેડ બ્રિજ બનાવાયો છે. પરંતુ તેનું ખાત મુહૂર્ત ન થતા ટ્રાફિકની સમસ્યા એવીને એવી જ છે. તો નવીન બનાવેલ એલિવેટેડ બ્રિજ સત્વરે ચાલુ કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા દૂર થઈ શકે.

[google_ad]

[google_ad]

કંડલા પોર્ટથી દિલ્હીને જોડતો નેશનલ હાઇવે 27 તે ડીસા શહેરના મધ્યમાંથી પસાર થાય છે. જેથી ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન થઈ ગઈ છે. તેમજ આ હાઇવે પર અનેક નાના મોટા અકસ્માતો સર્જાતા હતા. જેમાં અનેક માસૂમ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.

 

 

[google_ad]

ત્યારે આ સમસ્યાથી પીડાતા લોકોએ અનેકવાર સરકારમાં તેમજ નેશનલ હાઇવે ઓથોરિટીને રજુઆત કરી હતી. ત્યારે લોકોની રજુઆતને ધ્યાને લઇ સરકાર દ્વારા 200 કરોડના ખર્ચે ડીસામાં હાઇવે પર સર્જાતી ટ્રાફિક સમસ્યા નિવારણ માટે એલિવેટેડ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો જેથી ટ્રાફિક સમસ્યાથી લોકોને છુટકારો મળે તેમજ અકસ્માતના બનાવોમાં પણ ઘટાડો થાય.

 

[google_ad]

 

આ બ્રિજનું તમામ કામ પુણ થઈ ગયું છે. પરંતુ આ એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ કરવાનું બાકી હોવાથી આ બ્રિજ ચાલુ કરવામાં આવ્યો નથી. જેથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે આજે ડીસાના ગાયત્રી મંદિરથી રાજમંદિર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી.

 

Advt

 

[google_ad]

જેના કારણે લોકો બે-બે કલાક સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. તેમજ લોકો રોડ પર આડેધડ વાહનો પાર્ક કરે તેમજ રોગ સાઈડમાં જતા વાહનોના કારણે આ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે વાહન ચાલકો તેમજ રાહદારી અને લોકોની માંગ છે કે સત્વરે આ એલિવેટેડ બ્રિજ ચાલુ કરવામાં આવે તો આ ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો થઈ શકે.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!