પાંથાવાડામાં માર્કેટયાર્ડની ૧૦ બેઠકની ચૂંટણીમાં ૮૯ ફોર્મ ભરાયા : બનાસકાંઠા ભાજપ મહીલા મહામંત્રીએ મહીલા તરીકે પ્રથમ ઉમેદવારી નોંધાવી

- Advertisement -
Share

પાંથાવાડા માર્કેટયાર્ડની ચૂંટણી માટે રવિવારે ઉમેદવારી પત્ર ભરવાના દિવસે માર્કેટયાર્ડની સત્તા માટે સહકારી આગેવાનો કૂચ કરી ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે ૬૬ ઉમેદવારી પત્ર ભરાયા છે. જ્યારે વેપારી વિભાગની ૪ બેઠકો માટે ૧૮ ઉમેદવારી પત્રો ભરાયા છે અને ખરીદ-વેચાણ મંડળીઓના વિભાગની બે બેઠક માટે ૫ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા છે. આમ કુલ ૮૯ ફોર્મ ભરાયા બાદ તા. ૧ જુલાઇના રોજ ફોર્મ પરત ખેંચવાના દિવસ બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.

 

 

હાલમાં વર્તમાન અને વિકાસ પેનલની સાથે અન્ય એક પેનલ વચ્ચે જંગ જામે ત્‌ેવી શક્યતાઓ થઇ રહી છે. જેમાં પાંથાવાડા માર્કેટયાર્ડમાં બનાસકાંઠા ભાજપ મહીલા મહામંત્રી ફાલ્ગુનીબેન ત્રિવેદીએ મહીલા તરીકે પ્રથમ ઉમેદવારી નોંધાવી છે.

 

 

જ્યારે બનાસકાંઠા ભાજપ મહીલા મહામંત્રીએ ફોર્મ ભરી ત્રીજી પેનલ બને તેવી અટકળો ચાલી રહી છે. જ્યારે બનાસકાંઠા ભાજપ મહીલા મહામંત્રી ફાલ્ગુનીબેન ત્રિવેદીની માર્કેટયાર્ડમાં એન્ટ્રી થતાં માર્કેટયાર્ડમાં રાજકારણ ઉથલ-પાથલ થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!