પાલનપુર ધનિયાણા ચોકડી વિસ્તારમાં રવિવારે વરઘોડો નીકળ્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. પી એસ આઇ ડી. જે. મરંડે તપાસ કરી હતી. જેમાં જનતાનગર ફોરેસ્ટ કોલોની નજીક રહેતા અજયભાઇ ગોવિંદભાઇ દેવીપૂજકની દીકરીના લગ્ન હોઇ અમદાવાદના વેવાઇ અશોકભાઇ સોમાભાઇ દેવીપૂજક પુત્ર મેહુલની જાન લઇને પાલનપુર આવ્યા હતા. જેમણે વરઘોડો કાઢ્યો હતો.આથી પોલીસે અજયભાઇ દેવીપૂજક, રમેશભાઇ દેવીપૂજક, અશોકભાઇ સોમાભાઇ દેવીપૂજક, મેહુલભાઇ દેવીપૂજક સામે ફરિયાદ નોંધી હતી.
From – Banaskantha update