ગુંદરી ગામમાં એક જ પરિવારમાં શંકાસ્પદ ફૂડ પોઈઝનીંગના 7 કેસ, 2ના મોત

- Advertisement -
Share

દાંતીવાડા તાલુકાના ગુંદરી ગામમાં આજે શુક્રવારે આકોલીયા પરિવારમાં 7 સભ્યોમાં શંકાસ્પદ એપેડેમીક ડ્રોપ્સીના લક્ષણો જાવા મળ્યા હતા. જેમાં 2 મહિલાઓનાં મોત નિપજ્યા છે. પરિવારમાં નવિન પ્રકારના લક્ષણો જાવા મળતાં ગામના સભ્યો દ્વારા આરોગ્ય વિભાગને જાણ કરાતા દાંતીવાડા તાલુકા આરોગ્યની ટીમ ત્વરીત એક્શનમાં આવી ઉપલા અધિકારીઓને જાણ કરી હતી તેમજ બહારથી વધુ ટીમ બોલાવી કામગીરી હાથ ધરાઇ હતી.

 

 

 

દાંતીવાડા તાલુકાના ગુંદરી ગામમાં ગેમરાજી આકોલીયા પરિવારમાં છેલ્લા કેટલાંક દિવસોથી પરિવારના સભ્યોમાં પગે સોજા, તાવ તેમજ ડાયેરીયા જેવા લક્ષણો જોવા મળ્યા હતા. ત્યારે તેમાં થોડાક દિવસ પહેલાં કુટુંબની એક મહીલા શંકાસ્પદ એપેડેમીક ડ્રોપ્સીનો ભોગ બનતાં થોડા દિવસ પહેલાં મોત નિપજ્યું હતું અને એક મહીલાનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવાર સહીત ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

 

File Photo

 

 

શંકાસ્પદ એપેડેમીક ડ્રોપ્સી વિશે દાંતીવાડા તાલુકા આરોગ્ય વિભાગને જાણ થતાં આરખી પી.એચ.સી.ના તબીબ ડો.સુનિલ સોલંકી સહીત તેમની ટીમ દ્વારા ગુરૂવારે ગુંદરી ગામમાં જઇ પીડીત પરિવારને મળી તપાસ કરતાં શંકાસ્પદ એપેડેમીક ડ્રોપ્સીના લક્ષણો જણાતાં ઉપલા અધિકારીઓ સાથે પરામર્શ કરતાં તાલુકા આરોગ્ય અધિકારી ડો. ઉર્વેશ ઝવેરી અને જીલ્લા એપેડેમીક અધિકારી ડો. સુનિલ ગર્ગ પણ ગુંદરી ગામમાં આવી પહોંચ્યા હતા.

 

 

 

શુક્રવારે દાંતીવાડા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ગુંદરી ગામમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરી કોઇને પણ એપેડેમીક ડ્રોપ્સીના લક્ષણો નથી તેની તપાસ હાથ ધરી હતી તેમજ પાલનપુર ફૂડ એન્ડ ડ્રગ્સ ડીપાર્ટમેન્ટની ટીમ દ્વારા પણ ગુંદરી ગામમાં આવી પીડીત પરિવારના ઘરેથી રાયડાના દાણા તેમજ જે દાણામાંથી તેલ પિસાયું હતું. ખોરાકમાં ઉપયોગ કર્યો હતો. તેના સેમ્પલ એકઠા કરી તેલના તમામ પ્રકારના Fssaiના ગુણવત્તા આધારીત ટેસ્ટ કરવા માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવાની પ્રોસેસ કરી એક દિવસ બાદ તેલમાં કઇ પ્રકારની ખામી છે તે જાણવા મળે છે. ત્યારબાદ વધુ જાણી શકાશે.

 

 

 

 

ત્યારબાદ શુક્રવારના રોજ સ્ટેટપેડેમીક બ્રાન્ચના અધિકારીઓ પણ ગુંદરી ગામમાં આવી પહોંચ્યા હતા. તેમણે સૌપ્રથમ શંકાસ્પદ એપેડેમીક ડ્રોપ્સીના સોર્સ શોધવાની તજવીજ કરી હતી તેમજ બિમારી કયા કારણોસર થઇ કેવી રીતે ફેલાઇ અને વધુ ન ફેલાય તેમજ આ તેલના કારણે બીજા કોઇ વ્યક્તિમાં આ પ્રકારની બિમારી નથી તેની તપાસ કરી હતી તેમજ ધારપુર મેડીકલ કોલેજની ટીમ પણ મેડીકલ ફિઝીશિયન, કમ્યુનિટી મેડીશિનના અધિકારી અને પેથોલોજીસ્ટની ટીમ પણ ગુંદરી ગામમાં આવીને તબીબ દ્વારા પીડીત પરિવારના સભ્યોની ચકાસણી કરી તેમણી સારવારની ફાઇલ ચેક કરી સલાહ સુચન આપવામાં આવ્યા હતા તેમજ ધારપુર રેપીડ રીસ્પોન્સ ટીમ દ્વારા બ્લડ સેમ્પલ તેમજ યુરીન સેમ્પલ કલેક્શન કરી લોહીમાં શંકાસ્પદ એપીડેમીક ડ્રોપ્સી માટે એફ.એસ.એલ. રીપોર્ટ કરવા માટે પ્રોસેસ હાથ ધરી હતી.

 

 

 

 

જેમાં કેટલાંક રીપોર્ટ ધારપુર મેડીકલ કોલેજમાં તેમજ કેટલાક રીપોર્ટ અમદાવાદ લેબોરેટરી મોકલવામાં છે તેમજ પીડીત પરિવારના સભ્યોને ધારપુર મેડીકલ ફિઝીશિયનની સલાહ મુજબ વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

   — શંકાસ્પદ પીડીતના નામ —

(1) ગેમરાજી રેવાજી આકોલીયા
(2) ગીતાબેન ગેમરાજી આકોલીયા
(3) દિનેશભાઇ મરાજી આકોલીયા
(4) કેતન ગેમરાજી આકોલીયા
(5) પૂજાબેન ગેમરાજી આકોલીયા

 

file photo

 

 

  —  મૃતક પીડીતના નામ  —

(1) જ્યોતિબેન દિનેશભાઇ આકોલીયા
(2) આરતીબેન ગેમરાજી આકોલીયા

 

એપેડેમીક ડ્રોપ્સી શું છે ?

એપેડેમીક ડ્રોપ્સી રાઇના તેલમાં આર્ગેમોના  મેક્સીકાનાં નામની જંગલી વનસ્પતિના બીજના તેલની ભેળસેળના કારણે થતી બિમારી છે.

રાઇના તેલમાં કેવી રીતે ભેળસેળ થાય છે..?

(1) ભેળસેળ આકસ્મિક કે ઇરાદાપૂર્વક થાય છે.
(2) આર્ગેમોના મેક્સીકાના દેખાવ રાઇના બીજ જેવો હોય છે.
(3) રાઇના ખેતરમાં એટલે કે રાયડાના પાકમા જંગલી ધાસ તરીકે ઉગી નીકળે છે.
(4) આ બંનેનો છોડ એક સમયે જ પરિપક્વ થાય છે.
(5) લણણી વખતે આર્ગેમોના બીજ રાઇના બીજ સાથે મિક્સ થઇ જાય છે.

આર્ગેમોનોલમાં સેન્ગ્વીનેરીયન નામનું ઝેરી રસાયણ આવેલ હોય છે.

લક્ષણો

(1) બંને પગે સોજા આવવા
(2) ઝાડા
(3) શ્વાસ લેવામાં તકલીફ
(4) ઝામર
(5) હૃદયની તકલીફ

એપીડેમીક ડ્રોપ્સીની સારવાર પદ્ધતિ

(1) દૂષિત તેલનો શરીરમાંથી નિકાલ કરવો.
(2) સંપૂર્ણ આરામ કરવો, પગ ઉંચા રાખીને સુવુ અને પૌષ્ટીક આહાર લેવો.
(3) લક્ષણ આધારીત સારવાર કરવી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!