તા. 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે. ત્યારે દાંતા તાલુકામાં આવેલ પોલીસ સ્ટેશનમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શનિવારે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 125 રોપાનું વાવેતર કરાયું હતું તેમજ દાંતાની 108 વાન સ્ટેન્ડ નજીક 3 રોપા વવડાવ્યા હતા. જ્યારે દાંતા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પણ રોપા વાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે દાંતા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એચ. એલ. જોષી અને પોલીસ સ્ટાફના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લોકોને પર્યાવરણનો સંદેશો આપવામાં આવે છે કે,‘તા. 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વધુમાં વધુ વૃક્ષો વવડાવી તેનું જતન કરવામાં આવશે તો હરિયાળુ વાતાવરણ બનશે.’
From – Banaskantha Update