લાખણીના ધુણસોલ-ગેળાનો રસ્તો છેલ્લા ૧૦ વર્ષથી રીપેર ન કરાતાં સ્થાનિક લોકો રસ્તા પર ચક્કાજામ કર્યો

- Advertisement -
Share

લાખણી તાલુકા ધુણસોલ-ગેળાને જાડતો જાહેર રસ્તો આવેલો છે. તે 2015ના પૂરમાં તૂટી ગયો હતો. જે રસ્તો રીપેર ન કરાતાં સ્થાનિક લોકોએ રસ્તો બંધ કરી ચક્કાજામ કર્યો હતો. આસ્થા સમાન ગેળા હનુમાનજી મંદિરને જાડતો છેલ્લા 10 વર્ષથી રસ્તો ખખડધજ હાલતમાં હોવાથી સ્થાનિક લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં તંત્રએ આંખ આડા કાન કર્યાં છે.

 

 

બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકા ધુણસોલ-ગેળાને જાડતો જાહેર રસ્તો આવેલો છે. તે આ રસ્તો 2015ના ચોમાસા દરમિયાન પૂરમાં તૂટ્યો હતો. પરંતુ છેલ્લા 10 વર્ષથી તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરાતાં પરંતુ રસ્તો રીપેર ન કરાતાં સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જ્યારે રસ્તો રીપેર ન થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ રામધૂન બોલાવી રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

 

 

 

 

 

છેલ્લા 10 વર્ષથી રસ્તો રીપેર ન થતાં સ્થાનિક લોકોએ તંત્રની આંખ ખોલવા રસ્તો બંધ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ રસ્તો છેલ્લા 10 વર્ષથી ખખડધજ હાલતમાં હોવાથી આસ્થા સમાન ગેળા હનુમાનજી મંદિરને જોડતો હોઇ અનેક દર્શનાર્થીઓને હેરાન-પરેશાન થવું પડે છે. જેથી દર્શનાર્થીઓ અને સ્થાનિક લોકોમાં આક્રોશ ભભૂક્યો છે. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં તંત્રએ આંખ આડા કાન કર્યાં છે. સ્થાનિકોએ ચક્કાજામ કરી નિદ્રાધીન તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!