બનાસકાંઠા કુંભાસણ ગામના પ્રકૃતિપ્રેમી હિદાયત છેલ્લાં 10 વર્ષથી પોતાના ઘરમાં ચકલીઓની વિશેષ કાળજી લઈ તેમનું જતન કરી રહ્યાં છે. નેચર ફોરેવર નામની સંસ્થાના સ્થાપક દિલાવરએ 2009માં ચકલીઓ બચાવવા અભિયાન ચલાવ્યું હતું.
જેને લઈ આજે વિશ્વના અનેક દેશોમાં ચકલીઓને બચાવવા મુહિમ ચાલે છે. અને દર 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ મનાવી ચકલીઓ પ્રજાતિને બચાવવા પ્રયત્નો કરાય છે.
બનાસકાંઠા જિલ્લામાં પણ સમગ્ર રાજ્યની જેમ ચકલીઓની પ્રજાતિ ધીરે ધીરે લુપ્ત થવા લાગી છે. ત્યારે પાલનપુર તાલુકાના કુંભાસણ ગામના પ્રકૃતિપ્રેમી હિદાયત છેલ્લાં 10 વર્ષોથી પોતાના ઘરમાં ચકલીઓની વિશેષ કાળજી લઈ તેમનું જતન કરી રહ્યાં છે.
તેઓ દરરોજ સવાર સાંજ બે ટાઈમ ચકલીઓને દાણા નાખી તેમનું જતન કરે છે. ચકલીઓના માળા તૂટીના જાય તે માટે તેઓએ પોતાનું જૂનું લાકડાવાડું મકાન રીનોવેશન પણ કરાવ્યું નથી. ચકલીઓ પ્રત્યેનો હિદાયતનો પ્રેમ લોકો માટે એક પ્રેરણારૂપ છે.
From – Banaskantha Update