પાટણ જીલ્લાના ચાણસ્માના ખોરસમ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ગુરુવારની બપોરના સુમારે ચાણસ્માના ભુલાપુરામાં રહેતાં એક પરિવારની યુવતીએ અગમ્ય કારણોસર પોતાની માતા અને માસૂમ બાળકી સાથે મોતની છલાંગ લગાવતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. આ અંગેની જાણ ચાણસ્મા પોલીસને કરાતાં પોલીસે ઘટનાસ્થળે આવી કેનાલમાં ઝંપલાવનાર ત્રણેયની લાશોની શોધખોળ તરવૈયાની મદદથી હાથ ધરી હતી.
આ બનાવની વિગત એવી છે કે, પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના ખોરસમ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ગુરુવારની બપોરના સુમારે ચાણસ્માના ભુલાપુરામાં રહેતાં એક પરિવારની યુવતીએ અગમ્ય કારણોસર પોતાની માતા અને પોતાની માસૂમ બાળકી સાથે મોતની છલાંગ લગાવી મોતને વાલુ કર્યું હતું.
આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. આ અંગેની જાણ ચાણસ્મા પોલીસને કરાતાં પોલીસે ઘટનાસ્થળે આવી કેનાલમાં ઝંપલાવનાર ત્રણેયની લાશોની શોધખોળ તરવૈયાની મદદથી હાથ ધરાઇ હતી. ત્યારે ત્રણેય લાશો શુક્રવારના રોજ તરવૈયાઓ દ્વારા કેનાલની સાયફનમાં ફસાયેલી હાલતમાં શોધી કાઢતાં પોલીસે ત્રણેય લાશોને બહાર કાઢી તેનું પંચનામું કરી ચાણસ્મામાં પી.એમ. અર્થે ખસેડાઇ હતી. આ અંગે ચાણસ્મા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ત્રણેયની આત્મહત્યા પાછળનું કારણ જાણવા ચક્રો ગતિમાન કર્યાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
From – Banaskantha Update