અંબાજી ખાતેથી અમીરગઢના ગામોમાં ઉકાળા વિતરણનો કલેકટર દ્વારા પ્રારંભ કરાયો

- Advertisement -
Share

વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતેથી અમીરગઢ તાલુકાના ગામોમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટર આનંદ પટેલે આયુર્વેદીક ઉકાળા વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો. અંબાજી મંદિર દ્વારા અંબાજી આજુબાજુના ગરીબ આદિજાતિ સમુદાયના લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદીક ઉકાળા અને આર્સેનીક આલ્બમ દવા પ્રત્યેક ઘર સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

 

 

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દાંતા તાલુકાના 187 ગામો માટે આયુર્વેદીક ઉકાળા અને દવા માટેના 10 જેટલાં રૂટના વાહનોનું પ્રસ્થાન કરાવ્યું હતું. જેની સફળતા બાદ આજે યાત્રાધામ અંબાજી ખાતેથી બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે અમીરગઢ તાલુકાના 71 ગામો માટેના આયુર્વેદીક ઉકાળાના વાહનોને પ્રસ્થાન કરાવ્યું હતું.

 

 

 

 

દાંતા તાલુકાના 187 ગામો અને અમીરગઢ તાલુકાના 71 ગામો મળી કુલ – 258 ગામોમાં 10 વાહનો દ્વારા આયુર્વેદીક ઉકાળા અને આર્સેનીક આલ્બમ દવાનું વિતરણ કરવામાં આવે છે. આ બંને તાલુકાઓમાં 770 કિ.ગ્રા આયુર્વેદીક ઉકાળો અને 77,750 પેકેટ આર્સેનિક આલ્બમ દવાનું વિતરણ કરવામાં આવશે. તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ. જે. ચાવડાએ જણાવ્યું.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!