કોરોના મહામારી વચ્ચે દાંતીવાડાના પાંથાવાડામાં લોકોને પાણી માટે ફાંફા પડી રહ્યા છે

- Advertisement -
Share

ગુજરાત સહીત દેશભરમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે. લોકો કોરોના વાઇરસની મહામારીથી ત્રાહિમામ છે ત્યારે બનાસકાંઠા વાસી અન્ય મુશીબતોથી પણ પરેશાન છે. દાંતીવાડાના પાંથાવાડા વિસ્તારમાં હાલ કોરોના મહામારી વચ્ચે પીવાના પાણીનો કકળાટ ચાલી રહ્યો છે.

 

 

 

દાંતીવાડા તાલુકાના પાંથાવાડા વિસ્તારમાં કોરોનાની મહામારી વચ્ચે પીવાના પાણીના ફાંફા પડી રહ્યા છે. પાંથાવાડા વિસ્તારમાં લોકો સવારથી પાણી માટે લાઈનોમાં લાગે છે છતાં પણ સમી સાંજે પીવાના પાણી માટે લોકોને ફાંફા પડી રહ્યા છે.

 

 

 

દાંતીવાડા તાલુકાના પાંથાવાડા વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પાણી ન આવતા લોકો ગામ કુવે ભરવા આવે છે પાણી. કોરોના મહામારી વચ્ચે પણ લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા. રાત્રે પણ પાણી માટે લોકો કતારમાં લાગે છે. પાણી ના આવતા પાથાવાડાના ગ્રામજનો થયા ત્રાહિમામ.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!