ડીસાના યુવા બિલ્ડર પોતાના ખર્ચે ઓક્સિજન બોટલ ભરાવીને દર્દીને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા

- Advertisement -
Share

બનાસકાંઠામાં હાલ કોરોનાના કહેર વચ્ચે ઓક્સિજનની ખૂબ જ અછત સર્જાઈ છે ત્યારે ડીસાના એક યુવા બિલ્ડર પોતાના ખર્ચે હોસ્પિટલમાંથી ખાલી બોટલો મેળવી અમદાવાદ સુધી પોતાના ખર્ચે ઓક્સિજન બોટલ ભરાવીને દર્દીને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. આજે 52 જેટલી બોટલો અમદાવાદથી ભરાવીને ડીસા પહોંચતા જ દર્દીના સગાઓ અને હોસ્પિટલના સંચાલકો દોડી આવી ઓક્સિજન બોટલો મેળવી હતી.

 

 

 

 

બનાસકાંઠામાં હાલ કોરોનાના કહેર વચ્ચે ઓક્સિજનની અછત ઉભી થઇ છે. જેમાં ખાસ કરીને ડીસા, ધાનેરા અને થરાદના દર્દીઓને ઓક્સિજન માટે ખુબજ મુશ્કેલી પડી રહી છે જોકે બનાસકાંઠામાં આવેલ ઓક્સિજન રીફીલીંગના બન્ને પ્લાન્ટ પર કાચો મટીરીયલ પૂરતા પ્રમાણમાં ન આવતા દર્દીઓ ઓક્સિજન વગર મૃત્યુ પામી રહ્યા છે.

ત્યારે ડીસાના યુવા બિલ્ડર પી.એન શેઠ દ્વારા દર્દીઓના જીવ બચાવવા ઓક્સિજનની ખાલી બોટલો એકત્રિત કરીને પોતાના ખર્ચ અમદાવાદથી 52 ઓક્સિજન બોટલ ભરાવીને ગાડી ડીસા આવતા જ થરાદ અને ડીસાના દર્દીના સગાઓ દોડી આવ્યા હતા અને વાહનોની કતારો લગાવી દીધી છે અને વિના મૂલ્યે દર્દીના સગાઓને ઓક્સિજન બોટલ વિતરણ કરી હતી.

 

 

 

ત્યારે ડીસાના આખોલ ગામના સરપંચ પણ ઓક્સિજન બોટલ લેવા આવ્યા હતા તેઓ પણ કામગિરીને વખાણી હતી જ્યારે થરાદથી ઓક્સિજન બોટલ માટે પી.એન શેઠનો સંપર્ક કરીને આવેલા દર્દીના સગાઓને પણ બોટલ આપી જતી.

ડીસામાં માનવતાનુ કામ કરતા પી.એન શેઠ 52 બોટલ ભરાવવા સહિત ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ તેમના દ્વારા આપવામાં આવ્યો હતો અને દર્દીઓને આવા કપરા સમયે મદદરૂપ થઇ રહ્યા છે ત્યારે પી.એન શેઠએ જણાવ્યું હતું કે મેં 52 ઓક્સિજન બોટલ ભરાવીને વિના મૂલ્યે સેવા આપી છે અને હજુ પણ જરુર પડે મદદ કરીશ.

બનાસકાંઠામાં હાલ સૌથી વધુ ઓક્સિજનની અછત ઉભી થઇ છે. ટીસરે 4 આવા યુવા બિલ્ડરોની મદદથી અનેકની જિંદગી બુજાતી બચી રહી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!