વડોદરામાં લાગી વિકરાળ આગ : ગરનાળા નીચે લાગેલ આગના ધુમાડા 10 કી.મી દુર સુધી દેખાયા, વાહન વ્યવહાર બંદ

- Advertisement -
Share

વડોદરાના અલકાપુર ગરનાળામાં બપોર બાદ અચાનક વિકરાળ આગ ફાટી નીકળી જેને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. અલકાપુરી ગરનાળાનો વાહન વ્યવહાર બંધ થઇ ગયો.

 

 

આગના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા અને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-1 સુધી આગ પહોંચી ગઇ હતી. આગના ધૂમાડા 10 કિ.મી. દૂર સુધી દેખાયા હતા.

 

 

 

રેલવે સ્ટેશન વિસ્તારમાં લાગેલી ભીષણ ઘટનાની જાણ થતાં વડોદરા ફાયરબ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યાં હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

 

 

આગને પગલે રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકજામ થઇ ગયો અને અલકાપુરી અને સયાજીગંજ વિસ્તારને જોડતુ ગરનાળુ વાહન વ્યવહાર માટે બંધ થઇ ગયું હતું. મોટી સંખ્યામાં લોકો આગની ઘટનાને જોવા માટે ઉમટી પડ્યા હતા. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

 

 

 

 

From – Banaskantha Update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!