બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થતા પાલનપુરના તબીબોએ સારવારને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. પાલનપુરના તબીબો પણ હવે કોરોના સંક્રમિત દર્દી સિવાયના દર્દીઓને હોસ્પિટલમાં ન આવવા માટે અપીલ કરી રહ્યા છે.
પાલનપુર ઈન્ડીયન મેડીકલ એસોસિએશને આજથી કોરોના મહામારી કે ગંભીર બીમારી કે પછી ઇમરજન્સી સિવાય સારવાર ન કરવાનો નિર્ણય લીધો છે.
અત્યારે સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારી તેનો કહેર વરસાવી રહી છે જેમાંથી બનાસકાંઠા જિલ્લો પણ બાકાત રહ્યો નથી આ મહામારીને અટકાવવા માટે હવે પાલનપુર ઈંડિયન મેડિકલ એસોસિએશને કોરોના સંક્રમણ સિવાયના દર્દીઓને હોસ્પિટલમાં ન આવવા માટે અપીલ કરી છે.
એક તરફ કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ સામાન્ય બીમારીવાળા દર્દીઓ હોસ્પિટલમાં આવતા હોવાથી સંક્રમણને વેગ મળે છે, જેથી કોરોના, ગંભીર બીમારી કે ઇમરજન્સી સિવાયના દર્દીઓને 20 એપ્રિલ થી 2મે સુધી હોસ્પિટલમાં ન આવવા માટે અપીલ કરી.
From – Banaskantha Update